________________
પરમ ઈષ્ટ છે, આરાધ્ય છે તેમને વંદન કરવા - નમસ્કાર કરવા. આ નમસ્કાર વિશિષ્ટ છે કારણ કે તેમાં આપણે સૂક્ષ્મથી સ્થળ તરફ ગતિ કરીએ છીએ. પરમાત્મા સૂક્ષ્મ છે, અતિસૂક્ષ્મ છે. તેને સમજવા માટે કે સ્પર્શવા માટે આપણે છેક સ્થળ સુધી નીચે ઊતરીએ છીએ. એક વખત છેક નીચેના પગથિયે સાધુશક્તિને સ્પર્શ થઈ ગયો, તેનો અવિષ્કાર થઈ ગયો પછી આરાધના શરૂ થઈ જાય છે. અને આરાધનાનો. આ માર્ગ ઊર્ધ્વરોહણનો માર્ગ છે.
| નવકારની એ પણ આગવી વિશિષ્ટતા છે કે તેમાં ક્યાંય કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી કરવામાં આવ્યો. અહીં જે કંઈ વંદન છે તે ગુણોને વંદન છે, ગુણોનું અભિવાદન છે. ગુણોનું અભિવાદન થતાં આપણામાં ગુણોનું સંક્રમણ થવા લાગે છે - ગુણો આપણામાં ઊતરવા લાગે છે. ભાવપૂર્વક ગુણને વંદન કરતાં જ આપણી કલ્યાણ માર્ગની યાત્રા શરૂ થઈ જાય છે. નવકાર મંત્ર કામ્ય મંત્ર નથી એટલે કે કામનાઓની પૂર્તિ કરવા માટેનો મંત્ર નથી. નવકાર તો કામનાઓની પાર પહોંચી જવાનો, કામનાઓથી ઉપર ઊઠવાનો મંત્ર છે. નવકારનું લક્ષ્ય પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ છે. તેથી તો તે મહામંત્ર કહેવાય છે.
નવકારની ભૂમિકામાં ખાસ કહેવામાં આવ્યું છે કે “સવ પાવપ્પણાસણો” એટલે સર્વ પાપોનો નાશ કરનારો છે. પાપ અને પુણ્ય એ બન્ને કર્મની પ્રકૃતિ છે. જૈન ધર્મ પુરુષાર્થનો પુરસ્કર્તા છે અને કર્મવાદ ઉપર તો તેની ગૂંથણી થયેલી છે. આ ચૂલિકા પણ એ વાતની પ્રતીતિ કરાવે છે કે કર્મસત્તા ૧૪૪
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org