________________
માર્ગ રોકીને બેઠા છે અને તેને ભગવાન થવા દેતા નથી. જીવનો મૂળ શત્રુ તો કર્મ છે જેની અંતર્ગત કષાય ઇત્યાદિ આવે છે પણ કષાય કર્મબંધના જનક છે તેથી તેનો અલગ ઉલ્લેખ કરવામાં આવે છે. કષાયની મહત્તાને લક્ષમાં રાખીને આચાર્ય હરિભદ્રસૂરિ જેવાએ તો કષાયમુક્તિને જ આત્માની મુક્તિ ગણાવી છે. અહીં એ વાતનું પણ સૂચન થઈ ગયું કે શત્રુઓને જાતે જ હણવા પડે. તેમાં કોઈ સહાય કરે નહિ. આ શબ્દની અંતર્ગત એ વાત આવી ગઈ કે ભગવાન બનવા માટે જીવે જાતે જ ઉદ્યમ કરવાનો છે અને તેમાં કોઈની કૃપાની અપેક્ષા રાખવાની નથી, કોઈ બહારથી સહાય કરનાર નથી. અન્ય ધર્મોના “ઈશ્વરકૃપાના સિદ્ધાન્તનો અહીં છેદ ઊડી જાય છે અને પુરુષાર્થની પ્રધાનતા સ્થાપિત થઈ જાય છે.
જો દુશ્મનોને એટલે કે કષાયો અને કર્મને હણવાની વાત આવી તો તે હણવાનો માર્ગ હશે અને તેની રીત પણ હશે. આમ, જૈન ધર્મના મોક્ષમાર્ગની પ્રરૂપણા થઈ ગઈ. આ માર્ગ બતાવનાર અરિહંતો છે માટે તેમને નમસ્કાર. અહીં
અરિહંતનું કોઈ નામ નથી પાડ્યું તેથી તે નમસ્કાર અંતર્ગત રીતે મોક્ષમાર્ગને અનુલક્ષીને જ થયો. મોક્ષમાર્ગના પ્રણેતા અરિહંત અને તેમને નમસ્કાર એટલે તેમાં મોક્ષમાર્ગના અસ્તિત્વની અને તેના સ્વીકારની વાત આવી ગઈ.
આમ નવકારના પ્રથમ પદમાં જૈન ધર્મનું તત્વજ્ઞાન, કષાય, કર્મ, મોક્ષમાર્ગ ઈત્યાદિ ઘણીબધી વાતો સમાઈ જાય છે. અહીં આપણે પ્રથમ પદનો સૂત્રાત્મક રીતે વિચાર કરી જોયો છે જે કેવળ એક ઉદાહરણ છે. બાકી જ્ઞાનીઓ તો મંગલની વર્ષા
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org