SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ છે. ગુપ્તિમાં કેવળ ક્રિયાનો સંયમ નથી, પણ જીવનશક્તિનું દિશાપરિવર્તન છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ગુપ્તિમાં બહાર વહેતી ઊર્જાને રોકીને અંદર તરફ વાળવાની વાત છે. કર્મની ભાષામાં કહીએ તો સમિતિ પ્રમુખતયા સંવરની સાધના છે તો ગુપ્તિ મહદ્ અંશે નિર્જરાની પ્રક્રિયા છે. સામાયિક એ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ ત્રણેનું દ્યોતક છે. સામાયિક એટલે આત્માની આત્મામાં સ્થિરતા. જૈન ધર્મે આત્મા માટે ‘સમય’ શબ્દ વાપર્યો છે. સામાયિકને સમય સાથે એટલે કે આત્મા સાથે સંબંધ છે. આવું એક શુદ્ધ સામાયિક જીવને સંસારની પાર ઉતારવા માટે સમર્થ બની રહે છે. જયણા રાખવી, હિંસાથી બચવું, કર્મને રોકવાં એ બધી વાતો તો સમિતિ-ગુપ્તિ સાથે સંલગ્ન છે જ પણ એમાં એટલી જ વાત નથી. એ બધી વાતો તો સંયમપથની પૂર્વભૂમિકા જેવી છે. સમિતિનું હાર્દ સજગતા છે, અપ્રમાદ છે, વિવેક છે. ગુપ્તિનું હાર્દ સમયમાં એટલે કે આત્મામાં અવસ્થિત થવાની વાતમાં છે. જો આપણે સમિતિ અને ગુપ્તિનો મર્મ નહિ પકડ્યો હોય તો તે કેવળ દ્રવ્ય ક્રિયાઓ બની રહેશે અને તેનાથી જીવનઊર્જા સંકોચાઈ જશે અને તમારો જીવનદીપ બૂઝ્યોબૂઝ્યો જલ્યા કરશે. સમિતિ અને ગુપ્તિની સાધનાનો મર્મ સચવાયો હશે તો બહારથી માણસ નિષ્ક્રિય લાગતો હોવા છતાંય અંદરથી સક્રિય હશે અને તેનો અંતરદીપ વધારે પ્રજ્વલિત થઈને ઝગમગતો હશે. જો મર્મને સમજીએ તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં જૈન ધર્મનું હાર્દ ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy