________________
નહિ આપે તો વિચાર નહિ ચાલે. અંતરમાં શબ્દ જીવિત હશે તો માણસ ચેષ્ટાથી પણ બહારના જગત સાથે સંબંધ સ્થાપિત કરી લેશે. વચનગુપ્તિની સાધના જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ શબ્દ છૂટતો જાય. શબ્દ સંપૂર્ણતયા સરી જાય પછી બાકી રહે કેવળ આત્માની સ્થિતિ - અસ્તિત્વનો આનંદ. આ છે વચનગુપ્તિનો મર્મ.
કાયગુપ્તિમાં કાયાનો વ્યવહાર શક્ય એટલો રોકી લેવાનો છે. આપણે જોઈએ છીએ એટલો જ કાયાનો વિસ્તાર નથી. કાયા કરતાં કાયાનો વિસ્તાર ઘણો મોટો છે. કાયાનો સ્થૂળ વિસ્તાર એટલે કાયાનું સામાન્ય હલન-ચલન, ઊઠ-બેસ ઇત્યાદિ. જેને રોકવામાં આવે તેને ઉપચારથી કાયગુપ્તિ કહેવામાં આવે છે. પણ આ તો સ્થૂળ વાત છે. બંગલા, ગાડી, વાડી, વેપારવણજ, ધંધા-રોજગાર, કીર્તિ-આબરૂ આ બધું એક રીતે કાયાનો જ વિસ્તાર છે. કાયાનો સૂક્ષ્મ ફેલાવ આ બધાંને પોતાની અંદ૨ આવરી લે છે. પુત્ર-પરિવાર પણ કાયાનો જ વિસ્તાર છે. કાયા ન હોય ત્યાં પરિવાર ક્યાં રહ્યો ? પતિ-પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જમાઈ, પૌત્રો, અરે ! મિત્રો અને દુશ્મનો સુધ્ધાં કાયાનો જ વિસ્તાર છે. કાયગુપ્તિ એટલે કાયાને સંકોચો, કાયાનો વિસ્તાર ટૂંકાવો. એક આસને બેસીને આપણે કાયાને સ્થિર રાખી શકતા નથી ત્યાં આ તો કાયાનો વિસ્તાર ગોપવવાની – ટૂંકાવવાની સાધના છે.
-
મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ પોતાનામાં આવી જવાની અને તેમાં સ્થિર થઈ જવાની સાધના છે. સમિતિ સાવધાનીનું - સજગતાનું સૂત્ર છે, તો ગુપ્તિ આત્મામાં ઊતરવાનો સજગતા અને સાધના
Jain Education International
For Private & Personal Use Only
૯૧
www.jainelibrary.org