SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અને વ્યવહારુ જેવા બની જાય. તેથી ઊલટું, જો કે એનાથી બની શકે તેટલું એ વિષયમાં ઊંડાણ કેળવવા પ્રયત્ન કરે, તે દિવસે દિવસે એ વિષય પરત્વે સાચું જ્ઞાન મેળવવાની દિશા ઊઘડે, વળી, જ્યારે આવા વિષયો ઊંડાણ પકડતા જાય છે, ત્યારે ક્રમે ક્રમે તેને ઉપયુક્ત એવી ભાષા-પરિભાષા પણ વધારે સ્થિર થાય છે, અને ઘડાય છે. આ સામગ્રી આગળ જતાં લેકભોગ્ય રીતે વિષયની રજૂઆત કરવામાં બહુ કામની નીવડે છે. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ જેવી શાસ્ત્રીય ભાષાઓમાં જે અનેક વિષયો પર સૂમ અને સૂક્ષમતર ચર્ચાઓ થયેલી છે, તેને લીધે જ તે તે ભાષાનું સાહિત્ય ગૌરવ અને સ્થાયિત્વ પામ્યું છે. અંગ્રેજી આદિ પાશ્ચાત્ય ભાષાઓમાં તે તે વિષય પરત્વે લખનારાઓ બધું જ માત્ર લેકભાગ્ય થાય એ દષ્ટિએ નથી લખતા. જે એમણે એ જ માર્ગ સ્વીકાર્યો હોત તે, આજે છે તેટલું ગૌરવ પાશ્ચાત્ય ભાષાઓ અને તેના સાહિત્યનું કદી ન હેત. આ અને આવી બીજી વિચારણાથી મેં આ વ્યાખ્યાનમાં લેકગ્રતાની સહેલી કેડી છોડી દીધી છે. પરંતુ હું પોતે એમ માનું છું કે લોકભોગ્ય સાહિત્ય પણ તૈયાર થવું જ જોઈએ. એનું એકંદર મૂલ્ય જરા ય ઓછું નથી; ઊલટું એવું સાહિત્ય લખાવાથી અને પ્રચારમાં આવવાથી વાચકવર્ગ ક્રમે ક્રમે વધતો જાય છે, અને એમાંથી નાને પણ જિજ્ઞાસુવર્ગ વિગ્ય સાહિત્યને સમજી શકે એવો નિર્માણ પણ થાય છે. જે આ વ્યાખ્યાનમાં ચર્ચાયેલા વિષયે એગ્ય રીતે રજૂ થયા હશે અને તેમાં મને અવકાશ નહીં હોય અથવા ઓછામાં ઓછા હશે, તે તેને આધારે જ કોઈ કુશળ વ્યક્તિ લોકભોગ્ય રીતે એને બીજુ રૂપ આપી પણ શકશે. કોલેજ અને યુનિવર્સિટીમાં ભારતીય તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓનું અધ્યયનઅધ્યાપન ચાલે છે, અને કદાચ તે વધતું જવાને પણ સંભવ છે. આ તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ અને અધ્યાપકો મોટે ભાગે અંગ્રેજીમાં લખાયેલ તે તે વિષયને લગતાં પુસ્તકને ઉપયોગ કરે છે અને શક્ય હોય ત્યાં સંસ્કૃત, પ્રાકૃત આદિ પ્રાચીન ભાષાઓમાં લખાયેલ ઉચ્ચ કોટિના ગ્રંથને પણ ઉપયોગ કરે છે. વિદ્યાર્થી અને અધ્યાપકે એ સાહિત્યને ઉપયોગ તે કરે છે, પણ મેં ઘણી વાર જોયું છે કે, તેમને તે તે વિષય જાણવાની સામગ્રી ઓછી કે વધતી જે માતૃભાષામાં કે છેવટે રાષ્ટ્રભાષામાં મળે તે તેમની સમજ વિશેષ ચેખી બને છે, અને તેમને એ વિષયમાં, સમજણ વધવાને કારણે, રસ પણ પડે છે. ઘણી વાર વિદ્યાર્થીઓ જ નહીં, પણ અધ્યાપકે સુદ્ધાં પૂછે છે કે, તત્ત્વજ્ઞાનના અમુક અમુક મુદ્દા પરત્વે સર્વગ્રાહી અને તુલનાત્મક નિરૂપણ કરતું કર્યું પુસ્તક ગુજરાતી કે હિન્દીમાં છે? આ તેમની પૃચ્છા અને માગણ મારી નજર સામે હતી. તેથી મેં એ માગણીને કાંઈક પણ સંતેશે અને અભ્યાસમાં થોડી પણ મદદ મળે એ ધારણા રાખી આ વ્યાખ્યાનમાં તત્વજ્ઞાનના મુખ્ય ત્રણ–જગત, જીવ અને ઈશ્વર વિષયોની આસપાસ ભારતીય પરંપરાઓમાં જે વિચારો ખીલ્યા છે, તેની મારી રીતે ફૂલગૂંથણી કરી છે. એની ઉપયોગિતાને ક્યાસ તે હવે એ વિષયના અભ્યાસીઓ જ કાઢે. પાંચમા વ્યાખ્યાનને અંતે “દર્શન અને જીવન ના મથાળા નીચે (પૃ. ૮૯) જે ઉપસંહાર કર્યો છે, તે વાચકે પ્રથમ વાંચી લે અને પછી વ્યાખ્યાને વાંચે તે એમને વિષયની રજૂઆતને કેટલાક ક્રમ ધ્યાનમાં આવશે, અને વ્યાખ્યાનેના વિષયોની ગોઠવણી પાછળ મારી શી દષ્ટિ રહી છે. તેને પણ ખ્યાલ આવશે, જેને લીધે તેમને વિષય સમજવામાં કાંઈક મદદ મળશે. પાંચે વ્યાખ્યાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy