SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઊંડે ઊતર્યાં છે અને તેમણે પ્રામાણ્ય શું, તેના ઉત્પાદક અને જ્ઞાપક કારણેા શાં, ઇત્યાદિ વિષે સૂક્ષ્માતિસૂક્ષ્મ ઊહાપેાહ કરી સ્વતંત્ર પ્રમાણુવિદ્યા રચી છે. પ્રે. મેક્સમૂલર એમના ‹ Six Systems of Indian Philosophy 'માં ન્યાયદર્શનની ચર્ચા કરતાં એક વાત કહે છે કે ભારતીય દાર્શનિકે પ્રમેયતત્ત્વની ચર્ચા કર્યા પહેલાં પ્રમાણતત્ત્વની ચર્ચા કરી લે છે, જો સત્ર આ માગ સ્વીકારવામાં આવ્યેા હાત તે ઘણી ગેરસમજૂતીએ દૂર થઈ શકત. દાર્શનિક વિચારપ્રવાહ સમયની દૃષ્ટિએ બેભાગમાં બહુ સ્પષ્ટપણે વહેંચાયેલા દેખાય છેઃ બુદ્ધ-મહાવીરના સમય સુધીને એક પ્રવાહ; અને ત્યારખાદથી અત્યાર સુધીને બીજો પ્રવાહ. પ્રથમ પ્રવાહમાં પ્રાચીન ઉપનિષદના અંશા, મહાભારતના પ્રાચીન અંશે। તેમ જ ખૌદ્ધ પિટક અને જૈન આગમમાંના પ્રાચીન અ‘શે। આવે છે; ત્યારે ખીજા ઉત્તરકાલીન પ્રવાહમાં દાર્શનિક સૂત્રરચનાથી માંડી અત્યાર સુધીના સમગ્ર વાડ્મયના સમાવેશ થાય છે. આ રીતે અનેક દૃષ્ટિએ એ પ્રવાહા જુદા હોવા છતાં તેમાં મૌલિક પ્રશ્નોની ખાખતમાં એકરૂપતા અને સાતત્ય દેખાય છે. ઉત્તરકાલીન વાડ્મયમાં જે દાર્શનિક મુખ્ય પ્રશ્નો ચર્ચાયા છે તે જ પ્રશ્નો પૂ`કાલીન વિચારપ્રવાહમાં ચર્ચાયા છે. છતાં બન્નેમાં મહદ્ અન્તર છે. સંક્ષેપમાં એ અન્તર એ બાબતમાં તરી આવે છે: (૧) પ્રાચીન વિચારપ્રવાહનું લક્ષણ એ છે કે તેમાં તત્ત્વચિન્તક પેાતાને જે સ્થાપવું હોય તેનું પ્રતિપાદક શૈલીએ નિરૂપણ કરે છે—જાણે કે એને કહેવાની વસ્તુ આર્ષદૃષ્ટિથી નિશ્ચિત હાય. વચ્ચે વચ્ચે જ્યાં તેને મતાન્તરને નિરાસ કરવા હોય ત્યાં તે માટે ભાગે તે તે મતાન્તરના ઉલ્લેખ માત્ર કરી એટલું જ કહી દે છે કે એ દૃષ્ટિ મિથ્યા છે યા સમ્યક્ નથી. અથવા તે એ એવા મતાન્તરોને પેાતાના સિદ્ધાન્ત સુધી પહેાંચવાના પૂર્વ પૂર્વ સેાપાન લેખે ગણાવી તે મતાન્તોના પણ અધિકારભેદે સમન્વય કરે છે. (૨) ખીજુ` લક્ષણ એ છે કે ઉત્તરકાલીન વિચારપ્રવાહમાં મુખ્ય પ્રશ્નની આસપાસ જે વિગત છે અને તેમાંથી જે બીજા નવા ઊભા થયેલ મુદ્દાની ચર્ચાએ છે તે પૂર્વકાલીન વિચારપ્રવાહમાં નથી. ૧. આ વિષે જુએ મારા સ્વતઃ પરતઃ પ્રામાણ્યની ચર્ચા કરતા લેખ, દર્શન અને ચિન્તન ', પૃ. ૧૦૩૨, ૨. અધિકારભેદે સમન્વયના ઉદાહરણ માટે જુએ મધુસૂદન સરસ્વતીકૃત ‘ પ્રસ્થાનભેદ '; વિજ્ઞાનભિક્ષુકૃત ‘સાંખ્ય પ્રવચનભાષ્ય ', પૃ. ૨થી આગળ (ચૌખમ્મા આવૃત્તિ ); નાગાર્જુનકૃત ‘ માધ્યમિકકારિકા ’— सर्व तथ्यं न वा तथ्यं तथ्यं चातथ्यमेव च । नैवातथ्यं नैव तथ्यमेतद्बुद्धानुशासनम् ॥ ૧૮.૮ અને તેની વૃત્તિ. જુઓ, યોગદૃષ્ટિસમુચ્ચય કા. ૧૩૨થી; તભૂમિાઃ સર્વવર્શનસ્થિતયઃ પ્રત્યભિન્નાહદય, સૂ. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy