SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એ બધાં કાર્યોમાં તે મૂળ કારણ ઓતપ્રોત રહે છે. તે મૂળ કારણ પિતાના ઘટક અશે કે ગુણેને તારતમ્યથી એવી રીતે વિકસાવે, વિસ્તારે કે કુલાવે છે કે તે પિતાના મૂળ સ્વરૂપમાં કાયમ રહીને પણ પિતામાંથી આવિર્ભાવ પામતા વિશેને પિતાનું દ્રવ્ય પૂરું પાડે છે, અને છતાંય તે મૂળ કારણ તે અખૂટ જ રહે છે. કપિલની આ કલ્પના પરિણામિનિત્ય એવા કારણની સ્થાપના કરે છે, જેથી સમગ્ર વ્યક્ત પ્રપંચમાં અવ્યક્ત એવા મૂલ કારણનું દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે. એ જ અસ્તિત્વ સામ્યભાનનું નિયામક બની રહે છે. આ રીતે કપિલને ખુલાસે એ થયો કે દેશિકકાલિક વિશે વાસ્તવિક છે અને તેમાં અનુભવાતું સામ્ય પણ વાસ્તવિક છે. આ માન્યતાને અનુસરનાર બીજા પણ દાર્શનિકે છે; જેમ કે રામાનુજ અને વલ્લભ આદિ. આ દાર્શનિકે પણ પોતે કપેલ મૂળ અંતિમ તત્ત્વના પરિણામમાંથી સામાન્ય અને વિશેષને વાસ્તવિક રૂપે ખુલાસે કરે છે. જૈન દષ્ટિ કાર્યપ્રપંચના કારણ લેખે મૂળ એક કારણ ન માનતાં, ન્યાયવૈશેષિકની પેઠે, અનન્તાનન્ત સ્વતઃસિદ્ધ મૂળ દ્રવ્ય સ્વીકારે છે; પણ તે પરિણામ નિત્યતાવાદી હોઈ સ્કંધ આદિ કાર્યોમાં કારણદ્રવ્યનું અસ્તિત્વ વાસ્તવિક માની સામાન્ય-વિશેષ ઉભયની વાસ્તવિકતાને ખુલાસે કરે છે. પરંતુ શંકર જેવા દાર્શનિકે સામાન્ય-વિશેષ એ ઉભયના ભાનને ખુલાસે બીજી રીતે જ કરે છે. તે કહે છે કે સામાન્ય એટલે સારશ્ય નહિ; સાદશ્ય તે વાસ્તવિક ભેદ વિના સંભવે જ નહિ; પણ તે સામાન્ય અર્થ એકતા યા અભિન્નતા એવે છે. આ વિચાર પ્રમાણે એમ મનાય છે કે મૂળમાં એક જ અખંડ અને અભિન્ન એવું સત્ તત્ત્વ છે, જેમાં કેઈ ઘટક અંશે કે ગુણ નથી. એ સત્ તત્ત્વ અખંડ અને અભિન્ન હોઈ કૂટસ્થ નિત્ય છે. તેમાં કોઈ પ્રકારને પરિણામ યા વિકાર સંભવત જ નથી. આ સત્ તત્ત્વ એ જ પારમાર્થિક છે. ભાનમાં જે દેશિક-કાલિક પ્રપંચના વિશેષે દેખાય છે, તેમાં કઈ દ્રવ્યનો અંશ છે જ નહિ. તે વિશે માત્ર અજ્ઞાન યા અવિદ્યાકલ્પિત છે. એમાં જે સત્ત્વ ભાસે છે તે તેમનું પિતાનું નથી, પણ પેલા અખંડ અને અભિન્ન એવા અધિષ્ઠાનભૂત મૂળ તત્ત્વનું છે. તેથી કાર્યપ્રપંચ એ વાસ્તવિક અસ્તિત્વ વિનાનો હેવા છતાં અધિષ્ઠાનના અસ્તિત્વથી સદ્રપ ભાસે છે. આ વિચારસરણી પ્રમાણે ફલિત એમ થાય છે કે કાર્યપ્રપંચના વિશે એ કઈ વાસ્તવિક નથી, માત્ર આવિદ્યક છે-વિવર્ત છે. અને વાસ્તવિક યા પારમાર્થિક તે મૂળ અધિકાનનું અસ્તિત્વ જ છે. આ કૂટનિત્યઅદ્વૈતવાદને માત્ર શંકર જ અનુસરે છે. જ્ઞાનગત વિશેષ આકારને ખુલાસે પણ કેઈ એક જ રીતે નથી થયે. જેમ સામાન્યના સાશ્ય અને એકત્વ એ બે અર્થોમાંથી અનુક્રમે પરિણાનિમિત્યતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy