SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક પ્રવર્તે છે. એ ઉત્તર આપવામાં દરેક દાર્શનિક કાર્ય-કારણભાવના સિદ્ધાન્તને સમાનપણે ઉપયોગ તે કરે છે અને છતાં દરેકનાં મન્તબે કે નિશ્ચય જુદાં પડે છે. આમ કેમ બને છે ? એનો ખુલાસે કરે અસ્થાને નથી. સામાન્ય અને વિશેષની ઉપપત્તિ જ્ઞાન યા ચેતના વ્યાપારનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ એમ ઉભયને અવગાહવાનું છે. કોઈ જ્ઞાન એવું નથી સંભવતું કે જેમાં કઈને કોઈ પ્રકારને સામાન્ય અને વિશેષ ભાસ થતું ન હોય. ખરી રીતે આવા ભાસને લીધે જ પ્રાણીમાત્રનું જીવન નભે છે. પશુ-પક્ષી જેવાં ઊતરતી કેટિનાં પ્રાણીઓ પણ પોતપોતાના વર્ગ યા વર્તુલ પૂરતું સામાન્ય જ્ઞાન ધરાવે છે ને તેને આશરે હૂંફ મેળવે છે; પોતપિતાના ખોરાક, આશ્રય અને રક્ષણસ્થાન તેમજ સંતતિપૂરતું વિશેષ ભાન પણ ધરાવે છે, ને જીવન જીવે છે. મનુષ્યબુદ્ધિની કક્ષા એથી બહુ ચડિયાતી છે. તે માત્ર આહાર, ભય અને કામસંજ્ઞાથી પ્રેરિત નથી; પણ એની જિજ્ઞાસા અને વિકાસની શક્યતા એટલી બધી છે કે તે ગમે તેટલી પરિમિત હોય છતાં ત્રિકાળને તેમજ સમીપ-અસમીપ દેશને અવગાહવા મથે છે. આ મથામણ જ દાર્શનિકને બુદ્ધિમાં અનુભવાતા સામાન્ય અને વિશેષ ઉભય આકારને ખુલાસે શોધવા પ્રેરે છે. જ્ઞાનમાં અનુભવાતા સામાન્ય અને વિશેષ એ બે આકારે, તેના ગ્રાહ્ય વિષયના એવા સ્વરૂપને જ આભારી હોઈ શકે, એ સામાન્ય નિશ્ચય તે દરેક દાર્શનિકે કર્યો. પણ અનુભવમાં આવતા દેશિક અને કાલિક એવા વ્યક્ત કાર્યપ્રપંચનું અંતિમ કારણ કેવું હશે કે જેને લીધે એ વ્યક્ત કાર્યપ્રપંચમાં સામાન્ય અને વિશેષ ઉભયરૂપતા સંભવી શકે?—આ પ્રશ્નનો જવાબ મેળવવા દાર્શનિક પ્રવૃત્ત તે થયા. પણ દરેકની વારસાગત, અભિનિવેશગત અને રુચિવૈચિત્ર્યગત વિશેષતાઓ દાર્શનિક પ્રસ્થાનભેદ જન્મા. આ કેવી રીતે તે હવે સંક્ષેપમાં વિચારીએ. કપિલ જેવા દાર્શનિકે વ્યક્ત કાર્યપ્રપંચની પરસ્પર વિશેષતા અને એમાં અનુભવાતું સામ્ય શું છે તેને એક રીતે ખુલાસો કર્યો, તે ઈતર દાર્શનિકે એ તેથી સાવ જુદી રીતે કર્યો. કપિલ સામાન્ય અર્થ સામ્ય યા સદશ્ય કરે છે, અને કહે છે કે સ્કૂલ-સૂકમ બધાં જ કાર્યો પરસ્પર વ્યાવૃત્ત અને ભિન્ન હોવા છતાં તેમાં એક પ્રકારનું સાદડ્યું છે. આ સાશ્ય ક્યાંથી, કેવી રીતે આવે છે, એના ખુલાસારૂપે તેણે એક એવું પ્રકૃતિ તત્ત્વ સ્વીકાર્યું કે જે સમગ્ર વિશ્વમાં પથરાયેલું છે, અને સદાતન પણ છે. આ તત્ત્વમાં એણે પરિમિત કાર્યરૂપે પરિણમવાની અને કાળક્રમે પ્રજનાનુસારી વિકાના આવિર્ભાવ- તિભાવની શક્તિ સ્વીકારી. તેને લીધે તે મૂળ કારણ એક જ હોવા છતાં અનેકવિધ દેશિક અને કાલિક વિશેષતાવાળાં કાર્યો જન્માવી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy