SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ માનતા અને અનુભવાતા જીવનવ્યવહાર ઘટાવતા; પરંતુ એ ચાર્વાક માન્યતાથી આગળ જનાર બીજા દાનિકો ઉપસ્થિત થયા, જેએ જીવ યા ચેતનનું સ્વતંત્ર વ્યક્તિત્વ માની તેને ભૌતિક દ્રવ્યથી સર્વથા ભિન્ન માને છે. આમ છતાં એવા સ્વતંત્ર ચેતનવાદી દાનિકોની વિચારસરણીમાં કાંઈ ને કાંઈ ભૌતિકતાની છાયા સચવાઈ રહેલી દેખાય છે. જેના કે ઔદ્ધો જુદે જુદે નામે ચૈતન્યનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકારે છે. તેમ છતાં તેમના સંમત ચેતનતત્ત્વમાં શરીરાનુસારી પરિમાણની હાનિવૃદ્ધિ અને ભૂતતત્ત્વગત ત્વિ-અહુત્વ સંખ્યા જેવા ભૌતિક અંશોની વાસ્તવિકતા રહી છે. ન્યાયવૈશેષિક અને પચીસ કે છવ્વીસ તત્ત્વવાદી સાંખ્યે શરીરાનુસારી હાનિવૃદ્ધિની માન્યતાનેા ઈન્કાર કર્યા; તેમ છતાં તેમને સંમત એવા જીવ, ચેતન યા આત્મતત્ત્વમાં પણ ભૌતિકતાની અમુક છાયા દેખાય જ છે. ન્યાય-વૈશેષિક જીવને વ્યાપક અને ફૂટસ્થનિત્ય માને છે, પણ તેએ વાસ્તવમાં આત્મતત્ત્વમાં એવી કેાઈ અભિન્ન ચેતના નથી માનતા કે જેથી એ આત્મતત્ત્વ હંમેશા સંવેદન અનુભવતું રહે; તેમને મતે મુક્તિદશામાં એ આત્મતત્ત્વ કેવળ જડ અને ફૂટસ્થનિત્ય આકાશ જેવા ભૌતિક દ્રવ્યની કાટિનું જ બની રહે છે. અલબત્ત, સાંખ્યા જીવ-પુરુષને સ્વયંસિદ્ધચેતન સ્વરૂપ માને છે, છતાં તેએને મતે પણ પુરુષગત બહુત્વ એ એક ભૌતિક ગુણની છાયા છે. વિજ્ઞાનવાદીએ જીવનું સ્વરૂપ વિજ્ઞાનસંતતિરૂપ સ્વીકારે છે; એને કોઈ સ્થાયી દ્રવ્યરૂપ નથી માનતા, છતાં તેએ પણ એવી સંતતિનું બહુત્વ સ્વીકારતા હાઈ ભૌતિક ગુણની છાયાના વિચારથી મુક્ત નથી. જીવન સ્વરૂપ પરત્વે તત્ત્વચિન્તનનું આ બીજું સેાપાન કહેવાય. એનું અંતિમ સેાપાન અધિબ્રહ્મવાદ છે. તે પ્રમાણે જીવ કે જીવા એ કોઈ ભૌતિક તત્ત્વના વિકારો નથી અને તેએ એક યા બીજે રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિએ પણ નથી. પણ એ જીવા, આત્માએ, પુરુષો કે વિજ્ઞાનસ’તતિએ—જે કહે તે બધું—એક માત્ર અખડ ચેતનાનું ઔપાધિક સ્વરૂપ હોઈ માત્ર કાલ્પનિક ભેદ ધરાવે છે. વસ્તુતઃ જીવામાં નથી શરીરાનુસારી હાનિવૃદ્ધિ, નથી ભૌતિક તત્ત્વગત ખડુત્વ કે નથી એમાં ચૈતન્યશૂન્ય જડતા—આ રીતે આત્મતત્ત્વના સ્વરૂપમાં પણ વિચારને વિકાસક્રમ દેખાય છે. ઈશ્વરતત્ત્વની ખાખતમાં પણ લગભગ એ જ સ્થિતિ દેખાય છે. કયારેક ઈશ્વર એક સ્વતંત્ર વ્યક્તિરૂપે અને સૃષ્ટિ-સહારના કર્તારૂપે કલ્પાયા. એમ મનાવા લાગ્યું કે એવા કર્તાધર્તા ઈશ્વર ન હોય તે સૃષ્ટિ ન સર્જાય કે ન એનું તંત્ર નિયમિત ચાલે. ખરી રીતે ઈશ્વર વિષેની આવી કલ્પના એ આધિભૌતિક કલ્પના જ છે; કેમ કે એવા ઈશ્વરને સહસ્રશીર્ષ આદિરૂપે વર્ણવાયેલ છે; અને આગળ જતાં તાર્કિકાએ એનું ૧. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमिं विश्वतो वृत्वाऽत्यतिष्ठद्दशाङ्गुलम् ॥ ऋग्वेद १०.९०.१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy