SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કસ્યા. આ રીતે મનુષ્ય આજ સુધીમાં વિદ્યા અને અનુભવની સુદીર્ઘ યાત્રા કરી છે. એ યાત્રાનાં જે પરિણામે ભારતીય વાયમાં તૃપ્તિકર રીતે વર્ણવાયેલાં મળે છે, તેના ચિર પરિશીલન અને તજજન્ય રસાસ્વાદની એક નજીવી વાનગીરૂપે મેં આ વ્યાખ્યાનમાં એનું નવનીત આપવા પ્રયત્ન કર્યો છે. ઉદેશ એ છે કે, પ્રત્યેક દર્શનવિદ્યાને અભ્યાસી જગત, જીવ અને ઈશ્વર પરત્વે તે તે ભારતીય દર્શને શું શું અને કઈ કઈ રીતે વિચારતા આવ્યા છે, તે સંક્ષેપમાં સમજી શકે અને એ વિચારેનું તુલનાત્મક અધ્યયન પણ કરી શકે. મૂળ પ્રશ્નો પરત્વે સમજણ થાય તે એમાંથી વિગતે જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવે અને એ જિજ્ઞાસા સંતોષવા તે મૂળ ગ્રંથ અવગાહા ભણી વળે. આ દષ્ટિએ તે તે વિષય પરત્વે અને તે તે વિષયને લગતા મતભેદ પરત્વે ઉપગી થઈ શકે એવા અનેક મહત્ત્વના ગ્રંથની સૂચના પણ મેં ટિપ્પણોમાં કરી છે. મેં જગત, જીવ અને ઈશ્વર એ ત્રણ વિષયને લગતાં દાર્શનિક પ્રસ્થાનના વિચારભેદો જ નથી દર્શાવ્યા, પણ એ વિચારભેદ કઈ કઈ દષ્ટિમાંથી અસ્તિત્વમાં આવ્યા અને કઈ કઈ રીતે વિકસ્યા અને એમાં પરસ્પર સમતા કે વિષમતા શી છે, એ દર્શાવવા પણ સ્વલ્પ યત્ન કર્યો છે, જેથી દરેક પ્રસ્થાનપ્રવર્તકના મૂળ આશયને સમજવામાં મદદ મળે. દર્શનવિદ્યા એ છેવટે માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યને વિશ્વ સાથેના તેમજ ઇતર પ્રાણીજગત સાથેના તેના સંબંધ વિશે વિચાર કરવામાં મદદ કરે છે. આ વિચારમાંથી મનુષ્યનું રૂપાન્તર થાય છે. તેનું જીવન માત્ર સ્થળલક્ષી મટી સૂક્ષ્મલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે, જેને લીધે તે વ્યક્તિરૂપે જુદે દેખાવા છતાં તાત્વિક રીતે સર્વમાં આત્મૌપસ્યની અથવા તો અભેદની દૃષ્ટિ કેળવે છે. આ દષ્ટિ જ માનવતાનું સાધ્ય છે અને એ જ ચરિત્રનિર્માણનો પાવે છે. જ્યાં દર્શનવિદ્યાને લીધે ખરેખરી દાર્શનિક દષ્ટિ યા પર વિદ્યાનો સ્પર્શ થયે ત્યાં જીવનનું ઊર્ધ્વીકરણ અવયંભાવી છે. એ ઊર્ધીકરણ સિદ્ધ કરવાનો પ્રયત્ન એ જ અધ્યાત્મવેગ યા યેગવિદ્યા. ભારતીય તત્ત્વવિદ્યા એ માત્ર તત્ત્વના નિરૂપણમાં કૃતાર્થ નથી થઈ એણે તે મુખ્યપણે અધ્યાત્મગ યા ગવિદ્યાને માર્ગ ખેડવાની ભૂમિકા જ પૂરી પાડી છે. જે આ યોગમાર્ગને વિચાર અને તે વિશેનાં શાસ્ત્રોમાં નોંધાયેલે તેમજ પરંપરઓમાં પ્રચલિત અનુભવ છોડી દેવામાં આવે તે પછી ભારતીય દર્શનવિદ્યામાં કાંઈ જીવાતુભૂત તત્વ રહેવા પામતું જ નથી. આ દષ્ટિએ આ વ્યાખ્યાનમાં લેગ યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy