SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નારદ અને શૌનક જેવાં આખ્યાને દ્વારા એ સૂચવવામાં આવ્યું છે કે અનેક જાતની અપરા વિદ્યાઓ મેળવ્યા છતાં તેમને તેમાં રતિ ન ઊપજી અને તેઓ પર વિદ્યા માટે ગ્ય ગુરુ પાસે ગયા. એ આખ્યામાં પરા વિદ્યાને અર્થ એક જ છે અને તે અર્થ એટલે આત્મવિદ્યા. આત્મવિદ્યામાં જિજ્ઞાસુ પિતાના વૈયક્તિક સ્વરૂપ ઉપરાંત સર્વગત યા સર્વ સાધારણ પરમાત્મસ્વરૂપને પણ જાણવા તલસે છે. શંકરાચાર્ય ઉપનિષદના શબ્દને જ અનુસરી અર્થ કરતાં કહે છે કે હું મંત્રવિદ્દ અર્થાત્ કર્મવિદુ છું યા હું સાર્થક વેદ આદિ અપરા વિદ્યાઓ જાણું છું, પણ આત્મવિદ્દ નથી અર્થાત્ પરા વિદ્યાથી અનભિજ્ઞ છું. રામાનુજ અપરા વિદ્યાને શાબ્દિક અર્થ ન લેતાં પક્ષ વિદ્યા એ ભાવ તારવી પરા વિદ્યાને અપક્ષ જ્ઞાન અર્થમાં લે છે. ગમે તે અર્થ લઈએ, પણ વાત છેવટે એ જ ફલિત થાય છે કે પ્રથમ અપરા વિદ્યાઓ ખેડાઈ, જેમાં આત્મજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય ન હતું યા ઓછામાં ઓછું હતું, અને પછી જ જિજ્ઞાસુવ પરા વિદ્યા ભણી વળ્યો, અર્થાત્ વધારે ને વધારે પિતાના અને પરમાત્માના સ્વરૂપને તેમજ એના સંબંધને જાણવા, અનુભવવા ભણી વળ્યો. માનવ-જિજ્ઞાસા અને એના પ્રયત્નની વિદ્યાયાત્રાને પરિણામે એણે ત્રણ વિષયેનું ખેડાણ કર્યું. એ જ વિષયે જગત, જીવ અને ઈશ્વરરૂપે દર્શનવિદ્યાના મુખ્ય પ્રતિપાદ્ય બન્યા છે. - ઉક્ત ત્રણ વિષયનું ખેડાણ અનેક પુરુષેએ જુદા જુદા ક્ષેત્રમાં અને જુદે જુદે કાળે કર્યું છે. દરેકનાં શક્તિ, ભૂમિકા, દષ્ટિ અને સાધન પણ એકસરખાં નથી રહ્યાં. તેથી સત્યશોધને આગ્રહ એકસરખે હોવા છતાં એ શોધનાં પરિણામે એકસરખાં આવેલાં નથી દેખાતાં. આને લીધે જ, આપણે જોઈએ છીએ કે, બાહ્ય જગતના તેમજ અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પર અનેક પ્રસ્થાને પ્રવૃત્ત થયાં છે. આ પ્રસ્થાને માં દેખીતી રીતે, અને કેટલીક વાર તાવિક રીતે, ભેદ દેખાય છે; છતાં એ બધાંમાં અંતર્ગત મુખ્ય સૂર એ લાગે છે કે દરેક પ્રસ્થાન સત્ય સિવાય બીજા કશાની આકાંક્ષા સેવતું નથી. દાર્શનિક પ્રસ્થાનની આ એક સિદ્ધિ જ છે. જે દરેક પ્રસ્થાનને આગ્રહ સત્યને જ હોય તે એ દ્વારા માણસ ક્યારેક ને ક્યારેક અજ્ઞાનગ્રંથિને નિવારી શકે. મનુષ્ય જે જે વિદ્યાઓ ખેડી છે તે બધી જ પિતાના પુરુષાર્થને સિદ્ધ કરવા, એણે અર્થ-કામ સિદ્ધ કરવા વિદ્યાઓ ઉપજાવી. વળી, એણે ધર્મ સિદ્ધ કરવા પણ વિદ્યાઓ ઉપજાવી અને અંતે એણે મોક્ષ સિદ્ધ કરવાના માર્ગો પણ વિચાર્યા એટલું જ નહિ, પણ ઘણા દાખલાઓમાં એ માર્ગો ઉપર ચાલી એણે એમને અનુભવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy