SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરનો આ બીજો ગ્રંથ બહાર પડે છે. લેખક મુનિરાજશ્રી વિહારમાં લેવાથી દશવૈકાલિકનું પ્રકાશન ધારવા કરતાં કંઈક મોડું થવા પામ્યું છે. પરંતુ આનીજ સાથે ત્રીજું પ્રકાશન “સાધક સહયરી” પણ તૈયાર થઈ ગયું છે. અને તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઈ થોડાજ વખતને અંતરે ગ્રાહકોને મળવાથી અવશ્ય સંતોષ થશે એમ અમે માનીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પ્રથમ આવૃત્તિના પ્રકાશન વખતે જનતાની માગને અમો પહોંચી શકયા નહતા. તેથી આ દશવૈકાલિક સૂત્રની પ્રથમ આવૃત્તિની ૫૦૦૦ પ્રત છપાવી છે. બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ જ વાપરવાનો સંસ્થાનો ઉદ્દેશ હોવાથી છીંટના પાકાં પૂઠાને બદલે કાગળનું જ પાકું પૂંઠું રાખ્યું છે. આમ કરવાથી ખર્ચ પણ ઓછું થાય છે અને પ્રકાશન ટકાઉ તથા સતું બહાર પડી શકે છે. આ પછી અમારી સંસ્થાનું ચોથું પ્રકાશન શ્રી આચારાંગ સૂત્ર [ગુજરાતી અનુવાદન બહાર પડશે. આ સંસ્થાની પ્રકાશન સંબંધી યોજના અને તેના નિયમો આગળ જ આપેલા છે. તે વાંચી લાગે તે જિજ્ઞાસુ બંધુઓએ ગ્રાહક થઈ જવું. તેમ થવાથી તેમને અને સંસ્થાને પોસ્ટ ખાતાની અને વધુ ખર્ચની તકલીફ રહેશે નહિ. અમારા ગ્રાહકોએ અને વિદ્વાનોએ અમારા પ્રથમ પુષ્પ શ્રી ઉત્તરાધ્યયનને ભાવભીને સત્કાર કરી સંસ્થાને આગળ ધપાવવાની પ્રેરણું આપી છે તે બદલ અમે તે સૌના આભારી છીએ, અને તેઓની આ સંસ્થા પર આવી શુભ ભાવના વહ્યા કરે એમ અમે ઈચ્છીએ છીએ. આ સંસ્થાના હંમેશના નિયમ મુજબ ખર્ચની વિગત પણ આગળ આપેલી છે. મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy