SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩. પિચ્છેષણ જાણે અથવા સાંભળે કે આહાર કઈ યાચકે માટે બનાવ્યો છે તે તે આહાર પાણી સંયમી પુરુષો માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આહારપાણ મને ક૫તું નથી. [૫૩+૫૪] ગૃહસ્થોએ બનાવેલું ભોજન અન્ન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારને આહાર જે શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ અન્ય મતના બીજા સાધુઓ માટે બનાવ્યા છે તે તે આહાર પાણું પણ સંયમી પુરુષો માટે અકલ્પનીય છે તેમ જાણું તે દાતારને કહે કે આ આહાર પણ મને ક૫તું નથી. નોધ:--જૈનભિક્ષુની વૃત્તિ સૌ કોઈ જીવ, પછી તે હિતૈષી હો કે વૈરી ભાવના યુક્ત હો, સૌ પર સમાન હોય છે. તેના આખા જીવનમાં ક્યાંય અન્યને લેશ પણ દુઃખ દેવાની ભાવના સાંપડતી નથી, અને તેથી જ તેની ભિક્ષાની ગવેષણ પણ તેટલી જ કાળજીપૂર્ણ હોય છે. જે અન્યને માટે કરેલું કેઈ પોતાને આપી દે તે બીજા વાચકને તે ન મળતાં જે કંઈ કષ્ટ થાય તેના દુખના નિમિત્તરૂપ પોતે બને. માટે તેવી ભિક્ષા તેને ત્યાજ્ય હોય છે. [૫૫] જે અન્નપાન સાધુને જ ઉદ્દેશીને બનાવેલ હોય, સાધુ માટે ખરીદીને બનાવેલ હય, સાધુ માટે તથા પિતાને માટે અલગ અલગ આહાર પાણી કર્યા હોય તે પૈકી સાધુ નિમિત્તનું અન્ન ભજન પિતાનામાં મિશ્ર થઈ ગયેલ હોય તેમજ સાધુ માટે સામે લાવેલું તથા સાધુ નિમિત્ત ઉમેરીને કરેલું કે ઉછીનું લવાયેલું તથા મિશ્ર થયેલું અન્નપાણે પણ ભિક્ષુ તજી દે. [૫૬] કદાચિત નવીન વસ્તુ જોઈને ભિક્ષુને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિ કેમ થઈ? કોને માટે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? એમ પૂછી શંકારહિત અને દ્ધ ભિક્ષા હોય તે જ સંયમી તેને ગ્રહણ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW.Jવી
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy