SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષુલ્લકાચાર ૧૭ સૂરણ વગેરે કંદ કે (૩૬) સચિત્ત જડીબુટ્ટી*(૩૭) સચિત્ત ફળ, (૩૮) કે સંચિત બીજ ગ્રહણ કરવાં તે. નોંધ –જીવહિત હેચ તે સચિત્ત ગણાય અને જીવરહિત હોય તે અચિત્ત ગણાય. અન્ય જાતિના કેઈ પણ શસ્ત્રથી પરિણત થયેલી કિંવા પકાવેલી વસ્તુઓ અચિત્ત થઈ જાય છે. (૮) (૩૯) ખાણનું સંચળ, (૪૦) સિંધાલૂણ, (૪૧) સામાન્ય મીઠું, (૪૨) રોમદેશનું (રોમક) મીઠું, (૪૩) સમુદનું મીઠું, (૪૪) ખારો (પાંશુ લવણ) તથા (૪૫) કાળું મીઠું એમ અનેક પ્રકારનું મીઠું જે સચેત ગ્રહણ કરાય તો તે દૂષિત છે. [૯] (૪૬) ધૂપન (ધૂપ દે કિંવા બીડી વગેરે પીવા), (૪૭) વમન (ઔષધદ્વારા ઉલટી કરવી), (૪૮) બસ્તિકર્મ (ગુહ્યસ્થાનઠારા બલિષ્ઠ ઔષધિનો શરીર માટે ઉપયોગ કરવો કિંવા હઠયોગની તેવી ક્રિયા કરવી), (૪૯) વિરેચન (વિના કારણે ઔષધદ્વારા જુલાબ લેવો), (૫૦) નેત્રરોભાર્થે અંજન ઇત્યાદિનો ઉપયોગ કરે, (૫૧) દાંતને રંગવા, (પર) ગાત્રા ભંગ (શરીરની ટાપટીપ કરવી કિંવા શરીરની વિભૂષા કરવી). નોંધ –ધૂપનને અર્થ વસ્ત્રાદિકને ધૂપ દેવો એ પણ થાય છે. ઘણું ખાઈ પછી તેને ઔષધદ્વારા મોંથી ઉલટી કરીને કે વિરેચનથી કાઢવાનો પ્રયત્ન કરવો તે દૂષણ છે તે દ્રષ્ટિએ વમન અને વિરેચન એ બનેને નિષેધ કર્યો છે. [૧૦] સંયમમાંજ યોજાયેલા અને દ્રવ્યથી (ઉપકરણથી) હળવા તેમજ આવ્યંતર (ક્રોધાદિ કષાયો)થી હળવા એવા નિગ્રંથ મહષિઓ માટે ઉપર કહેલાં બાવન અનાચીણું (નહિ આચરવા યોગ્ય વસ્તુઓ) છે. * કેટલીક વસ્તુઓ સંબંધી સચિત્ત-અચિત્તને નિર્ણય સામાન્ય રીતે ન થઈ શકે તે સાર સચિત-અચિત્ત નિર્ણાયક કમિટિન નિબંધ કોન્ફરન્સ રિપેટમાં વાંચી લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy