SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું અધ્યયન ઠાણાંગસૂત્રના આઠમાં અધ્યયનની વસ્તુ છે. નવમું અધ્યયન ૨૩ આમાં ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યયનની વસ્તુનું માત્ર ભિન્ન સ્વરૂપ છે. દસમું અધ્યયન ઉત્તરાધ્યયનના પંદરમા અધ્યયનને મળતું છે, અને તેની ગાથાએ પણ તેને મળતી છે, એટલે કે ઇંદ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, વૈતાલીય વગેરે પદ્યગંધાનું એવું એવું મિશ્રણ છે. છેવટની એ ચૂલિકાઓ છે તેનું સંપાદન દશ અધ્યયન પછી કંઇક પાછળથી થયું હેાય તેમ લાગે છે, કારણકે પ્રથમ અધ્યયનના પ્રથમ શ્લાકમાં આદિ મંગળ છે. સાતમા અધ્યયનમાં મધ્યમ મંગળ છે અતે દસમા અધ્યયનમાં જ અંત્ય મંગળ છે. ચૂલિકામાં નથી. પરંતુ ભાષાદ્રષ્ટિએ જોતાં આગળના દસ અધ્યયન કરતાં તે બહુ અર્વાચીન હેાય તેમ લાગતું નથી. અને તેના સંપાદક પણ શ્રી. શય્યભવ હાય એમ માનવામાં ખાસ હરકત જણાતી નથી. દશવૈકાલિકના કાળનિર્ણય ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેમની પાટે શ્રી સુધર્મસ્વામી ગણધર થયા. ત્યારબાદ જંબૂસ્વામી અને તેમનો પુછી પ્રભવે સ્વામી આવ્યા. પ્રભવસ્વામીના ઉત્તરાધિકારી જે શય્યભવસ્વામી થયા તે જ આ ગ્રંથના નિર્માતા. તેએ વીર સંવત ૭૫ થી ૯૮ ની વચ્ચે આચાર્યપદ વિભૂષિત હતા. તે નિમ્નોક્ત પ્રમાણચી સિદ્ધ થાય છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy