SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયસમાધિ * * * છતાને શિખરે પહોંચેલી વ્યક્તિઓનાં પતન મહાભારતના અને બીજા અનેક ઇતિહાસમાં નથી નજરે ચડતાં? આજે પણ કઠોર વચનમાં દુષ્પરિણામો નાથી અજાણ્યાં છે? આથી જ વાચાની શુદ્ધિ પર મહર્ષિઓએ ખૂબ ભાર આપે છે. [૮] કઠેર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાં જ ચિત્તમાં કઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન્ન કરી દે છે. પરંતુ તેવાં કહેર વચનને પણ જે મેક્ષમાર્ગને શૂરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પિતાને ધર્મ માની પ્રેમપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. નેધ–ક્ષમા એ વીર પુરુષનું ભૂષણ છે. શક્તિ હોય તે જ સહન કરી શકે છે. પામર કદાચ કાયાથી સહન કરે પણ તેના મનની વિક્રિયા કદી સહી શકતી નથી. તેમાં પણ શસ્ત્રોના ઘા શિર પર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખે શરીરે મળી શકે; પ્રતિક્રિયા કર્યા વિના દેહદુ:ખ સહન કરનારા સાધકે પણ મળી શકે; પરતુ વિના વાંકે શબ્દના બાણ પડતાં હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ મળવાના.. [૯] જે સાધુ કાઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ (નિંદા) ન બેલે, પ્રત્યક્ષમાં કદી વેરવિરોધ થાય તેવી ભાષા ન બેલે તથા નિશ્ચયાત્મક અને અપ્રિય કરનારી ભાષા પણ કદાપિ ન બેલે તેજ ખરેખર પૂજય છે. સેંધા–નિંદા જેવું કોઈ પણ વિષ નથી. જેની નિંદા કરતી હોય તે માણસ કદાચ દૂષિત હોય તે તેના દોષો નિંદા કરવાથી ઘટવાને બદલે વધે છે. જે નિંદા કરે તે પોતે તે જ દુષ્ટ બનતો રહે છે અને જેની પાસે નિંદા થતી હોય તે વાતાવરણ ગંદુ અને ઝેરી બનાવે છે. આ દુર્ગુણદારા પિતાનું અને સમાજનું એમ બન્નેનું હિત હણાય છે તેથી તે દુર્ગાને સર્વથા ત્યાગ કર. [૧ જે અલેલુપી, અકૌતુકી (હાથચાલાકીની વિદ્યાથી રહિત), મંત્રજંત્રાદિ ઈજાળ નહિ કરનાર, અમાથી (નિષ્કટી) અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy