SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ દશવૈકાલિક સૂત્ર નિશ્ચલ રાખે. સંકટના સમયમાં પણ તે પિતાની ટેકને તજે નહિ. તેમજ કાચબાની પેઠે અંગે પાંગ (ઇકિયાદિ વર્ગ)ને ગોપવી તપ અને સંયમ તરફજ પિતાને પુરુષાર્થ વાળે. નેધ–વિનયિતા જાળવવાથી તે તે વિશિષ્ટ પુષોના ગુણોને વાસે મળે છે. ઉચ્ચ ચારિત્રને ટકાવી રાખવાથી આત્મશક્તિ અને સંકલ્પબળ ખૂબ વધે છે. કરી તેમજ તે સાધક નિદ્રાને શેખ ન રાખે. હાંસીની વાતને ત્યાગ કરે, કોઈની છાની વાતમાં રસ ન લે. પરંતુ તે હમેશાં (નિવૃત્તિના સમયે) અભ્યાસ તથા ચિંતનમાં રત રહે. નેંધ –અધિક નિદ્રાને આશ્રય લેનાર સાધક આળસુ થઈ જાય છે. નિદ્રાનો હેતુ માત્ર શ્રમને નિવારવાના જ છે પરંતુ તેજ જે શોખની વસ્તુ થઈ પડે તો સંયમમાં હાનિ ઉપજાવે છે. હાંસી મજાકની ટેવ પિતાને અને પરને ઉભયને દુઃખ ઉત્પન્ન કરાવે છે. છાની વાતો સાંભળવાથી નિંદા, દુષ્ટભાવ અને પાપિષ્ટ પ્રકૃતિ બને છે માટે અતિ નિદ્રા, હાંસી અને કોઈની ગુપ્ત વાતો સાંભળવાની ટેવ શાણા સાધકે છોડી દેવી ઘટે. [૪૩] (સ્વાધ્યાયમાં કદાચ મન ને ચાટે ત્યારે શું કરવું તે કહે છે:-) આળસને સર્વથા ત્યાગી તથા મન, વચન અને કાયા એ ત્રણેની (એકાગ્રતા) એકવાક્યતા કરી તે યોગને નિશ્ચળરૂપે (દશ પ્રકારના) શ્રમણધર્મમાં સ્થાપે. શ્રમણધર્મમાં સર્વથા યુક્ત રહેલ યોગી પરમ અર્થને પામે છે. નોંધ –સહિષ્ણુતા, નિર્લોભતા (સતોષ, સરળતા, કોમળતા, નિરભિઅનિતા સત્ય, સ યમ, બ્રહ્મચર્ય. ત્યાગ અને તપ આ દશ પ્રકારના સંયમી ધર્મો છે. સાધુઓને તેમાં જે સમયે જેની કસોટીને પ્રસંગ આવે તે સમયે તેમાં સતત અડેલ રહે. આ ધર્મો જ સાચા શ્રવણધર્મો છે અને તે ધથી જ પરમાર્થ (માક્ષસ્થિતિ) પમાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy