SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ છે. કે જે મર્યાદા તેના જીવનમાં સુસાધ્ય થાય. પરંતુ શ્રમણ સાધકેને તેનું સંપૂર્ણ પાલન કરવાનું હોય છે. આથી જ ગૃહસ્થસાધકના તો અણુવ્રત કહેવાય છે અને શ્રમણસાધકના વ્રત મહાવ્રતો. કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ સાધિકા તેમજ સાધ્વીનું પણ અંતર સમજી લેવું ઘટે. આ આખું સૂત્ર છે કે શ્રમણ સાધકને ઉદ્દેશીને કહેવાયેલું છે. એટલે શ્રમણજીવનને સ્પર્શતી ઘટના વિશેષ હોય તે સાવ સ્વાભાવિક છે. (પણ તે સંસ્કૃતિ સાથે ગૃહસ્થસાધકનો સંબંધ સેય દેરા જેવો છે તે તો આપણે પહેલે વિચારી ગયા.) અહીં આપણે શ્રમણજીવનના કેટલાક અગત્યના પ્રશ્નો વિચારીએ અને તેમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગને સ્થાન છે કે કેમ? અને છે તે ક્યાં સુધી અને ક્યા હેતુએ તે જોઈએ. સંયમી જીવનમાં અહિંસાનું મન, વાણી અને કર્મથી સંપૂર્ણ પાલન કરવા સારુ વનસ્પતિ, અગ્નિ, જળ, વાયુ ઈત્યાદિ જીવનના આવશ્યક તત્ત્વો પણ જયાં સુધી સજીવ હોય ત્યાંસુધી તેવા સૂક્ષ્મ . જીવોની પણ હિંસા કરવાનો નિષેધ છે જ પરંતુ તે નિષેધ સંયમમાં બાધાકર ન થઈ પડે તે માટે તેજ અધ્યયનમાં તેનો ઉકેલ પણ સાથે જ સમજાવ્યો છે. કારણકે સંયમી એ કાષ્ઠનું પુતળું નથી, પરંતુ દેહધારી પુરુષ છે. તેને પણ ખાવું, પીવું, સૂવું, ચાલવું, ઈત્યાદિ ક્રિયાઓ કરવાની હોય છે. તે આવશ્યક ક્રિયાઓમાં જ્યાં જ્યાં આનવાર્ય હિંસા છે ત્યાં અપવાદ પણ છે. જેમકે – (૧) ચાલવામાં વાયુની હિંસા થાય પણ તે પાપ કરતાં આળસની વૃદ્ધિ થાય એ સંયમને વધુ હાનિકર છે, માટે જ કહ્યું કે ઉપગપૂર્વક તે ક્રિયા કરે તે પાપકર્મને બંધન થતાં નથી. * જુએ દશકાલિક સૂત્ર અધ્યયન ૪ થું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy