SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધમર્થકામાધ્યયન ૭૧ અહિંસાને આદર્શ, બ્રહ્મચર્યના લાભ, મૈથુનનાં દુપરિણામ, બ્રહ્મચર્ય પાલનના માનસિક ચિકિત્સાપૂણ ઉપાય, આસક્તિનું સચેટ સ્પષ્ટીકરણ એ બધું બહુ સુંદર રીતે અહીં વર્ણવ્યું છે. ગુરુદેવ બોલ્યા:– [૧] સમ્યગ્રજ્ઞાન અને સમ્યગૂ દર્શનથી સંપન્ન, સંયમ અને તપશ્ચર્યામાં રત અને આગમ (શાસ્ત્ર) જ્ઞાનથી પરિપૂર્ણ એવા એક આચાર્યવર (શિષ્યોના સમૂહ સહિત એક પવિત્ર) ઉદ્યાનમાં પધાર્યા. નોંધ –તે કાળમાં વિશેષતઃ મુનિઓ નગર સમીપના ઉદ્યાનમાં વનપાળની આજ્ઞા ચાચીને રહેતા હતા. ત્યાં આગળ ધર્મપ્રવચન સાંભળવા સાર મહારાજા, મંત્રીઓ તથા નગરજનો આવી તેમનો લાભ લેતા અને ધર્મને આચરવામાં દત્તચિત્ત રહેતાં. [૨] તે પ્રસંગે સદ્દબધ સાંભળવા આવેલા) રાજા, રાજપ્રધાને, બ્રાહ્મણ, ક્ષત્રિય તથા ઈતર વૈશ્યજને પિતાના મનને નિશ્ચલ કરીને (અથવા પિતાના આત્માને પ્રસન્ન કરીને) વિનયપૂર્વક તે મહાપુરુષને પૂછે છે કે હે ભગવન ! આપનો આચાર અને ગોચર વગેરે કેવાં છે તે કૃપા કરી કહે. નોંધા–અહીં આચારનો અર્થ ધર્મ અથવા ધર્મપાલનના મૂળ નિયમને લગતો છે અને ગેચર એટલે સંયમપાલનના ઈતર નિયમો કે જે દ્વારા મૂળવતાની પુષ્ટિ થાય તે પૂરત સમજ ઘટે. [8] ઈદ્રિયનું દમન કરનાર, જીવ માત્રનું સુખ ઇચ્છનાર અને નિશ્ચલ મનવાળા તે વિચક્ષણ મહાત્મા શિક્ષાથી યુક્ત થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા – નેધ–શિક્ષાના બે પ્રકાર છે. (૧) આસેવના શિક્ષા અને (૨) ગ્રહણ શિક્ષા. પ્રથમ શિક્ષામાં જ્ઞાનાભ્યાસનો સમાવેશ થાય છે અને બીજામાં તદનુસાર વર્તન કરવાનો સમાવેશ થાય છે. [૪] (ગુરુદેવ બોલ્યા) હે શ્રોતાઓ ! ધર્મના પ્રોજનરૂ૫ મેક્ષની ઈચ્છાવાળા નિગ્રંથના અતિ કઠિન અને સામાન્યજનથી અસાધ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy