SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૨૨. સ્ટીમરની સાબિતી છેતરામણી છે ISS સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવે છે કે કોઈ સ્ટીમર જ્યારે કિનારાની નજીક આવે છે ત્યારે તેનો ઊપરનો ભાગ પહેલાં દેખાય છે અને નીચેનો ભાગ પૃથ્વીના ગોળાકાર હેઠળ છુપાયેલો હોવાથી થોડા સમય પછી દેખાય છે. જો કેટલાક મીટરની ઊંચાઈ ધરાવતી સ્ટીમરનો ભાગ પૃથ્વીના ગોળાકર પાછળ છુપાઈ જતો હોય તો તેના આધારે પૃથ્વીનો વળાંક પણ ભૂમિતિનો ઉપયોગ કરીને માપી શકાય છે. આ માટે સ્ટીમર કિનારાથી કેટલી દૂર છે અને સ્ટીમરની ઊંચાઈ કેટલી છે તેનું માપ જોઈએ. આ ગણતરી કરતાં પૃથ્વીની ગોળાઈ અમુક સો કિલોમીટર જ ગણી શકાય છે. આજના વિજ્ઞાનીઓ કહે છે તેમ પૃથ્વીનો પરિઘ જો ૩૬,૦૦૦ કિલોમીટર જેટલો હોય તો તેની ગોળાઈમાં અડધી સ્ટીમર છુપાઈ જાય અને અડધી બહાર રહે તેવું બને જ નહીં. આ ઉપરથી સાબિત થાય કે પૃથ્વી ગોળ નથી. ૨૩. પૃથ્વી શા માટે ગોળ દેખાય છે ? * ઘણા લોકો એવી દલીલ કરે છે કે જો પૃથ્વી સપાટ હોય તો આપણે કોઈ એક સ્થળ ઊપર ઊભા રહીને ચોતરફ આખી પૃથ્વી જોઈ શકીએ. આ દલીલ અજ્ઞાનમાંથી પેદા થઈ છે. જો આપણે કોઈ વિશાળ ખુલ્લા મેદાનમાં ઊભા રહીએ અને જોઈએ તો ખ્યાલ આવશે કે આપણી નજર ચારે દિશામાં માત્ર ત્રણત્રણ માઈલ સુધી જ પહોંચે છે. જ્યાં આપણી દૃષ્ટિની મર્યાદા આવી જાય છે, ત્યાં આપણને ક્ષિતિજ દેખાય છે. આપણી દૃષ્ટિમર્યાદા બધી દિશામાં સમાન હોવાથી દષ્ટિમર્યાદાની જે રેખા બને છે એ ત્રણ માઈલ ત્રિજ્યાનું વર્તુળ બને છે. આપણી નજરથી ત્રણ માઈલ સુધીની જમીન આપણને ઊપર ઊઠતી જણાય છે અને તેની પાછળની વસ્તુ આપણે જોઈ શકતા નથી. જો આ જ સ્થળે આપણે દૂરબીનનો ઉપયોગ કરીએ તો ત્રણ માઈલ કરતાં પણ વધુ દૂર જોઈ શકીએ છીએ. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ૨૪. સુએઝ નહેર સીધી રેખામાં ખોદાઈ છે જ સુએઝની નહેર ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે જોડે છે અને તેની લંબાઈ આશરે ૧૦૦ માઈલ જેટલી છે. આ નહેરનું બાંધકામ ઈ.સ. ૧૮૫૯ થી ૧૮૬૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. સુએઝની નહેરની જ્યારે ડીઝાઈન બની રહી હતી ત્યારે તેના ઈજનેરોએ એવો સવાલ કર્યો હતો કે ૧૦૦ માઈલની લંબાઈમાં પૃથ્વીની ઊંચાઈ ૬૬૦૦ ફૂટ વધી જતી હોવાથી બે સમુદ્રને જોડવા માટે તેમણે એટલી ઊંડાઈ સુધી ખોદવું પડશે અને પ્રોજેક્ટનો ખર્ચ એકદમ વધી જશે. ત્યારે તેમને નહેર બાંધનારી ફ્રેન્ચ કંપની દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમારે ખોદકામ કરતી વખતે પૃથ્વીને ગોળ ગણીને નહીં પણ સપાટ ગણીને જ નકશાઓ તૈયાર કરવાના છે. ઈજનેરોએ પૃથ્વીને સપાટ માનીને નકશાઓ બનાવી તે મુજબ ખોદકામ કર્યું તો બે સમુદ્રનાં પાણી એક થઈ ગયાં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. (૩૦૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy