SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જેમ કમળની કળીની આસપાસ કેસરો હોય છે તેમ મેરુ પર્વતના મૂળ પ્રદેશમાં ચારે બાજુ (૧) કુરંગ, (૨) કુટર, (૩) કુસંભ, (૪) વૈકંક, (૫) ત્રિકુટ, (૬) શિશિર, (૭) પતંગ, (૮) રુચક, (૯) નિષધ, (૧૦) શિનીવાસ, (૧૧) કપિલ, (૧૨) શંખ, (૧૩) વૈદુર્ય, (૧૪) જાસુધી, (૧૫) હંસ, (૧૬) ઋષભ, (૧૭) નાગ, (૧૮) કાલંજર અને (૧૯) નારદ વગેરે પર્વતો છે. તેમજ મેરુની પૂર્વે જઠર અને દેવકૂટ નામના ર પર્વતો છે. જે ૧૮,000 યોજન ઉત્તર તરફ લાંબા હોઈ ૨,000 યોજન ઊંચા અને પહોળા છે. એ જ પ્રમાણે મેરુની પશ્ચિમે પવન અને પારિવાત્ર એમ ૨ પર્વતો છે. દક્ષિણે કૈલાસ અને કરવીર પર્વત છે વળી ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામે પર્વત છે. આ આઠે પર્વતોથી ચારે બાજુ વીંટાયેલો સુવર્ણગિરિ મેરુ અગ્નિ જેવો શોભે છે તેમજ આ આઠે પર્વતો મેરુથી ચારે દિશામાં મેરુના મૂળ પ્રદેશથી ૧,000 યોજન છોડીને રહેલા છે. વિદ્વાનો કહે છે કે મેરુ પર્વતની ઉપર મધ્યપ્રદેશમાં ભગવાન બ્રહ્મદેવની ૧૦,000 યોજન વિસ્તારવાળી સમચોરસ સોનાની નગરી છે. એ નગરીની આસપાસ આઠે દિશાઓમાં ૮ લોકપાલોની આઠ નગરી છે જેઓની બ્રહ્મદેવની નગરીના ચોથા ભાગ પ્રમાણે વિસ્તાર છે. મેરુ પર્વત ઉપર બ્રહ્મા ઇંદ્ર વગેરેની અનુક્રમે ૯ નગરી છે તે આ પ્રમાણે – (૧) બ્રહ્માની મનોવતી, (૨) ઇંદ્રની અમરાવતી, (૩) અગ્નિની તેજાવતી, (૪) યમદેવની સંયમતી, (પ) નિઋોતની કૃષ્ણાંગના, (૬) વરુણીની શ્રદ્ધાવતી, (૭) વાયુની ગંધવતી, (૮) કુબેરની મહોદયા અને (૯) ઈશાનની યશોવતી.. આમાંની પહેલી બ્રહ્માની નગરી સૌની વચ્ચે છે અને ઇંદ્રાદિની નગરી અનુક્રમે પૂર્વદિશામાં માંડી આઠ દિશા તરફ કેટલાક વિદ્વાનો આ જંબૂદ્વીપના પણ બીજા આઠ ઉપદ્વીપો છે એમ માને છે કે જેઓને સગર રાજાના પુત્રોએ અશ્વમેધ યજ્ઞનો ઘોડો શોધતી વખતે આ પૃથ્વીને ચારે તરફથી ખોદી નાંખી રચ્યા છે જેનાં નામો (૧) સ્વર્ણપ્રસ્થ, (૨) ચંદ્રશુકૂલ, (૩) આવર્તન, (૪) રમણક, (૫) મંદરહરિણ, (૬) પાંચજન્ય, (૭) સિંહલ અને (૮) લંકા .... છે. અસ્તુ. પૂર્વે બતાવેલ બૌદ્ધ મતાલુસારે વિશ્વવન,વૈદિક ધમકુમારે લોકવા , અવ્હિાપુરાધારે બ્રહ્માંડવા , પાતાંજલ યોગશારગ્રાહુમારે લોકળું સ્વરુપ તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણાના આધારે જંબૂદ્વીપ.. વગેરે લેખોને આ“ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા જામક ગ્રંથમાં સ્થાન આપવા પાછળ એક જ આશય છૂપાયેલો છે કે. જેવી રીતે જેવાદર્શક પૃથ્વીને સ્થિર તેમજ સૂર્ય-ચંદ્રાદિ ફરતા માને છે, તેવી રીતે જ પૂર્વે બતાવેલા અન્ય દર્શનો પણ આ જ માન્યતા ધરાવે છે, માટે શાસ્ત્રીય રીતે જો જોવા જઈએ તો સર્વ ધર્મની એક જ વાર્તા સિદ્ધ થાય છે કે “પૃથ્વીસ્થિર છે.... અને સૂર્ય-ચંદ્રાદિ ફરે છે.” ૨૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy