SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ૫ II લોકના ધ્યાનનું ફળ II नानाद्रव्यगतानंतपर्यायपरिवर्तनात् । सदासक्तं मनो नैव रागाद्याकुलतां व्रजेत् ॥ ૪ આ લોક સ્વરૂપનો વિચાર કરવાથી શું ફાયદો થાય ? આમ, શંકા કરનારને ઉત્તર આપે છે કે, અનેક દ્રવ્યોમાં રહેલા અનંત પર્યાયોને પરાવર્તન કરવાથી (એટલે દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થયેલું મન રાગાદિ આકુળતા પામતું નથી. * વિવેચન : દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધી વિચાર કરતા વૈરાગ્યની ઉત્પત્તિ પણ થાય છે. કોઈ પણ દ્રવ્યની આકૃતિ ઉ૫૨ મોહ યા રાગ થયો હોય તો, તરત જ તેના ભાવિ વિનાશ ઉપર દ્રષ્ટિ કરતાં મમત્ત્વ ઓછું થાય છે. એક આકૃતિના વિનાશથી શોક હોય ત્યારે બીજી બાજુ તેની સ્થિતિની હયાતી અન્ય રુપે તો છે. આ વિચાર આવતાં શોકમાં ડ્રાસ અવશ્ય થઈ શકે છે. ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ત્રણે ભાગો ઉપર દ્રષ્ટિ રાખનારને હર્ષ કે શોક, રાગ કે દ્વેષ એ માંહિલું કોઈ પણ પરાભવ કરી શકતું નથી, કારણ કે શરુઆતથી જ તેની દ્રષ્ટિ ત્રણે ભાગો ઉ૫૨ સરખી રહેલી છે. ઇત્યાદિ આવી રીતે અનેક ફાયદાઓ લોકના કે દ્રવ્યના વિચારથી (ધ્યાનથી) થાય છે. Jain Education International For Private & Personal Use Only જાણવા જેવું www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy