SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चंति ॥१॥ શ્રી જિનેશ્વરદેવકથિત ““શ્રી દ્વાદશાંગી(ના અધ્યયન)ને પંડિતપુરુષો સ્વાધ્યાય કહે છે. તેનો ઉપદેશ કરનારા હોવાથી “ઉપાધ્યાય' કહેવાય છે.” અથવા ૩૫ ૩૫યોન આ સત્તાનું ધ્યાન્નતિ ઉપાધ્યાયઃ ” અર્થાતુ- જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તેમનું નામ ઉપાધ્યાય છે. શ્રી આવશ્યકનિર્યુક્તિમાં શ્રુત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કેउत्ति अवओगकरणे, ज्झत्ति झाणस्स होइ निद्देसे । एएण होइ उज्झा, एसो अन्नोऽवि पज्जाओ ॥१॥ ઉવઝાય (ઉપાધ્યાય)નો “ઉન્ઝા' એવો પણ પર્યાય શબ્દ છે. તેમાં S' એ “ઉપયોગકરણ' અર્થમાં વપરાયેલો છે અને “' એ “ધ્યાન' અર્થનું કથન કરે છે અર્થાતુ-જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તેઓ “ઉન્ઝા” (ઉપાધ્યાય) કહેવાય છે. અથવા “ સમીરે વિસનાતુ કુતચાયો નામો ભવતિ ચિત્તે ઉપાધ્યાયઃ | અર્થાતુ- જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે. અથવા “ઉપાધેરાયો ગસ્તે ઉપાધ્યાયા: ' અર્થાત્ - જેમના દ્વારા ઉપાધિ (શુભ વિશેષણાદિયુક્ત પદવી)ની પ્રાપ્તિ થાય તેમને ઉપાધ્યાય કહેવાય છે.'' અથવા- “ઉપદચતે માનચાવ્યથા સાય: પ્રતિવેંતે ઉપાધ્યાયા: '” અથવા ““ઉપદન્યતે ધય: સુવુરાવ: પ્રતિર્યંતે ઉપાધ્યાયી: ” અથવા “રૂપઢતે અધ્યાયો સુ ૩૫Tધ્યાયઃ ” જેમના દ્વારા માનસિક પીડા, કુબુદ્ધિ અને દુર્બાન નાશ પામે છે તે ઉપાધ્યાય છે. પ્રશ્ન - ઉક્ત લક્ષણોવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર :- ઉકત લક્ષણોવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતો શ્રી જિનોક્ત દ્વાદશાંગીનું અધ્યયન કરનારા હોવાથી તથા સૂત્ર અને અર્થ ઉભયનો વિસ્તાર કરવામાં રસિક હોવાથી તથા ગુરુપરંપરાએ પ્રાપ્ત થયેલ શ્રી જિનવચનનું અધ્યાપન કરાવવામાં તત્પર હોવાથી ભવ્ય આત્માઓ ઉપર મહાન ઉપકાર કરનારા છે. શિષ્યોને વિનય ગુણ શીખવાડનાર છે એ કારણ પણ તેઓ ભવ્ય જીવો વડે નમસ્કાર કરવા લાયક છે. પ્રશ્ન:- શ્રી ઉપાધ્યાય ભગવંતોનું ધ્યાન કઈ રીતે કરવું? ઉત્તર :- શ્રી ઉપાધ્યાય ભગવંતોનું ધ્યાન મરકતમણિ સમાન નીલ વર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન - “નમો ની બેલી ' એ પદનો અર્થ - લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ' એવો છે તો એ સાધુઓનું સ્વરૂપ કેવું છે? અર્થાત્ - સાધુઓ કોને કહે છે? ઉત્તર :- જેઓ જ્ઞાનાદિ શક્તિઓ દ્વારા મોક્ષમાર્ગને સાધે તે સાધુઓ છે. અથવા જેઓ ત્રસસ્થાવર સર્વ પ્રાણીઓ ઉપર સમાનબુદ્ધિને ધારણ કરનારા છે તે સાધુઓ છે. એ સંબંધી શ્રી આવશ્યકનિયુક્તિ મહાશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે કેनिव्वाणसाहए जोगे, जम्हा साहन्ति साहुणो । समा य सबभूएसु, तम्हा ते भावसाहुणो ॥१॥ નિર્વાણ સાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ પ્રાણીઓ ઉપર સમવૃત્તિને ધારણ કરે છે તે કારણે તેઓ “ભાવ સાધુ' કહેવાય છે. N ૨૦ (ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy