SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ જે વિહરમાનપરમેશ્વર શ્રી સીમંધરસ્વામીપ્રમુખતીર્થકરો તે ભાવઅરિહંત કહીએ, એહવા જે અરિહંત અનંતાનંત હુઈઆ, અને થશે અને થઈ રહ્યા છે, તેનું ધ્યાન પંચવર્ણ અદલકમલરૂપે ધ્યાઈએ. તે ફરી સાંભળો નાભિકમળ, તિહાં કમળનું નાળ, તિહાંથી (નાભિથી) વૃદ્ધિ પામી, બ્રહ્મપ્રદેશે વિકાસ પામ્યું, અરિહંત શ્વેતવર્ણ જિલ્લું મુક્તાફલનો હાર, જિમ વૈતાઢ્યપર્વત, જિમ પૂર્ણિમાનો ચંદ્ર, જિમ ક્ષીરસમુદ્રનું ફીણ, જિમ સ્ફટિકરત્ન, જિસી સિદ્ધશિલા નિર્મળ, જિન્હેં શ્વેત આતપત્ર (છત્ર), જિસ્યો ઐરાવણગજેન્દ્ર, જિમ દેવદૂષ્યવસ્ત્ર, જિસ્યો દક્ષિણાવર્તશંખ, જિલ્પે કામધેનુ દૂધ, તિસ્યા પરમેશ્વર નિર્મળ, દુરાષ્ટકર્મ ૧૫૮ પ્રકૃતિ રહિત, ઈસ્યા ઉજ્જવળ અરિહંત. જે જગન્નાથ આકાશની પરે નિરાલંબ, પૃથ્વીની પરે સવસહ, મેરુની પરે નિષ્પકંપ, સમુદ્રની પરે ગંભીર, ચંદ્રમાની પરે સૌમ્ય, સૂર્યની પરે તપતેજયુક્ત, સિંહની પરે અક્ષોભ્ય, બાવનાચંદનની પરે શીતલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભારંડપક્ષીની પરે અપ્રમત્ત, જગત્રયવંદનિક, મહામુનીશ્વરને બાવવા યોગ્ય, કેવળજ્ઞાને કરી ત્રિભુવનદિનકર, ઈસ્યા શ્રી વીતરાગ રહે. “નમો રિહંતા એ પદમાં તેમને મારો નમસ્કાર હો. નનો સિદ્ધાળે એ પદથી મારો નમસ્કાર શ્રી સિદ્ધોને હો ! જે સિદ્ધો સિદ્ધાંતે ૧૫ ભેદે કહ્યા છે. ૧. તીર્થંકરસિદ્ધ (શ્રી ઋષભદેવાદિ), ૨. અતીર્થંકરસિદ્ધ (પુંડરિક ગણધરાદિ), ૩. તીર્થસિદ્ધ- (અનેક ગણધરો), ૪.અતીર્થસિદ્ધ (મરુદેવામાતા), ૫. ગૃહસ્થલિંગે સિદ્ધ-શ્રી-ભરતેશ્વારાદિ), ડ. અન્યલિંગસિદ્ધ-(વલ્કલચિરી), ૭. સ્વલિંગસિદ્ધ(-અનેક સાધુઓ), ૮. સ્ત્રીલિંગસિદ્ધ - (આર્યા ચંદનબાલાદિ), ૯. પુરુષલિંગસિદ્ધ-(અનંત પુરુષો), ૧૦. નપુંસકલિંગ-સિદ્ધ- (ગાંગેય), ૧૧. પ્રત્યેકબુદ્ધસિદ્ધ-(કરકંડુ), ૧૨. સ્વયંબુદ્ધસિદ્ધ, ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ, ૧૪. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. જિહાં એક સિદ્ધ છે તિહાં અનંતા સિદ્ધો રહેલા છે. તે શરીરરહિત, સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરતા, કેવળજ્ઞાને કરી સર્વ જીવના ભેદાનભેદ જાણતા, અનંતગુણઅનંતબળ-અનંતવીર્યસહિત, જન્મ-જરા-મરણ-રોગ-શોક-વિયોગઆધિ-વ્યાધિ-પ્રમુખ સકલદુઃખ થકી મુક્ત, ઇન્દ્ર-ઉપેન્દ્રાદિ સર્વ દેવતાનાં સુખ અને ચક્રવર્તી આદિ મનુષ્યોનાં સુખ, તે એકત્રિત કીજે, તે પિંડ અનંત ગુણું કીજે (તોપણ) તે એક સિદ્ધને (સુખને) અનંતમે ભાગે ન આવે. એવા સિદ્ધનાં સુખ આકાશે ન માય. સિદ્ધ થયા, બુદ્ધ થયા, ચૌદરાજને પારે સમય સમય પ્રત્યે અનંતાનંત સુખ ભોગવતાં, જે સિદ્ધ રક્ત કાન્તિ ધરતા, જિત્યુ ઊગતો સૂર્ય, હિંગુલનો વર્ણ, દાડિમ જાસૂદનું ફૂલ, અર્ધગુંજારંગ, નિષધપર્વત, રક્તોત્પલ, મરક્ત મણિ, ચોળનો રંગ, કંકુનો રોળ, ચુનાસહિત તંબોળ, ઈસી રક્તવર્ષે સિદ્ધની પાંખડી ધ્વાઈએ. સંસ્થાન, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે સિદ્ધને રહ્યા નથી, ૪૫ લાખ યોજનપ્રમાણમુક્તિશિલા ઉપર, યોજનના ૨૪ મા ભાગમાં અવસ્થાન કરતાં શરીરરહિત કેવળ તેજ:પુંજાકાર, રૈલોક્યનો સાર, એવા સિદ્ધો “નનો સિદ્ધા' એ પદમાં રહ્યા છે, તેમને મારો નમસ્કાર હો ! નમો માયા મારો નમસ્કાર શ્રી આચાર્યોને હો જે શ્રી આચાર્ય પંચવિધઆચાર પરિપાળે, રાગદ્વેષ અંગ થકી ટાળે, સકલસિદ્ધાન્ત સૂત્રના અર્થને જાણે. ભવ્ય જીવ પ્રતિબોધી માર્ગે આણે, દંભરહિત, છત્રીસ ગુણસહિત (તે છત્રીસ ગુણ-પાંચઇન્દ્રિયને સંવરે. નવ બ્રહ્મચર્યની વાડમાં વસે ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય પરિહરે. સર્વપ્રાણાતિપાતવિરમણવ્રત, સર્વમૃષાવાદવિરમણવ્રત, સર્વઅદત્તાદાનવિરમણવ્રત, સર્વમૈથુનવિરમણવ્રત, સર્વપરિગ્રહવિરમણ વ્રત એ પાંચ મહાવ્રત ધરે. ઈર્યાસમિતિ આદિ અષ્ટપ્રવચનમાતા, પરિપાલે. એ ૩ ગુણ ધારે). શુદ્ધકરૂપક, જ્ઞાન-ક્રિયા-સંયમના આધાર, શ્રીજિનશાસનસાધાર, સકલવિદ્યાનિધાન, યુગપ્રધાન, ગુણગણરત્નાકર, મહિમામહોદધિ, અતિશયસમુદ્ર, મહાગીતાર્થ, જ્ઞાનપરમાર્થ, શ્રીસૂરિમંત્રસ્મરણકરણતત્પર, શ્રી સૂરિવર, તેહનો વર્ણ-જિસ્યો તપાવ્યું સુવર્ણ, હરિદ્રાનો રંગ, આઉલનું ફૂલ, હરિયાલનો વાન, પરિપક્વ સહકારનું ફળ, શિખરી પર્વત, પીતવર્ણરત્ન, તિસ્યા શ્રી આચાર્ય પીળી કાંતિ ધરતાં, “નમો મારિયા ઇણીપદે શ્રી આચાર્યને મારો નમસ્કાર હો. શ્રીનમસ્કારનો બાલાવબોધ ૪૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy