________________
કેવું છે મહાન, આ જૈનશાસન !
જેના મૂળમાં છે, એવા આ જિનશાસનને કોટિ-કોટિ વંદન
વર્તમાનના વિષમકાળમાં પણ આત્માને શાંતિપ્રદ એવા નમસ્કારમહામંત્રના પ્રદાન દ્વારા આત્મ-કલ્યાણની શ્રેષ્ઠ કેડી બતાવનાર જો કોઇ હોય તો તે જૈનશાસન છે.
એવા શાસનને પામીને આપણે બડભાગી બન્યા છીએ.
પ્રકાશકીય
આજ સુધી મુક્તિ સુખને પામનારા અનંતઆત્માઓ જે થઇ ગયા, તેઓ બધા નવકારની સ્મૃતિ-ભક્તિ દ્વારા જ આત્મકલ્યાણ કરી ગયા.
ભવિષ્યકાળમાં પણ એજ નવકારમંત્ર દ્વારા અનંતઆત્માઓ પરમપદને પામવાના છે અને એજ નવકારમંત્ર દ્વારા વર્તમાનમાં અનેક આત્માઓ આત્મકલ્યાણ કરી રહ્યા છે, એવો અચિત્ત્વચિન્તામણિરૂપ શાશ્વતરૂપ શાશ્વતમંત્ર નવકાર આપણને મળ્યો છે.
2. નમસ્કારમહામંત્ર.
૨. પરમેષ્ઠિનમસ્કાર.
૩. અનુપ્રેક્ષા
જીવો પ્રત્યે મૈત્રી
પ્રભુ પ્રત્યે ભક્તિ
શાશ્વત મંત્રની સ્વીકૃતિ અને જડ પ્રત્યે વિરક્તિ
એ નવકારમંત્રમાં ફક્ત ૬૮ અક્ષર કે નવપદ જ નથી, પણ ઘણું બધું આત્મોપયોગી છે. કેવળીભગવંતો પણ આ નવકા૨ના ગુણો પૂરા ગાઇ શકતા નથી. તેવા ગુણની ગરિમાથી ગંભીર એવા નવકારમંત્રનાં એક-એક અક્ષર, એક-એક શબ્દમાં જે તત્ત્વો-વિદ્યાઓ સિદ્ધિઓ રહેલી છે, તેને આગમોમાં તથા વિવિધ ગ્રન્થોમાં પૂર્વના મહાપુરુષો બતાવી ગયા છે. તે પદાર્થોને આત્મ-અનુભવથી ભાવિત થયેલા પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પ્રભુભક્તિ, યોગ-સાધના અને આરાધના દ્વારા ચિંતન કરીને સ્વ-પરના કલ્યાણ માટે લિપિબદ્ધ કર્યા. તેમાંથી નમસ્કારમહામંત્રને લગતા જુદાં-જુદાં પુસ્તકો તૈયાર થયાં.
જેમાં
આદિ પુસ્તકો મુખ્ય છે. ત્રૈલોક્યદીપક-મહામંત્રાધિરાજ
Jain Education International
૭. નવકારચિંતન
૪.
૫.
..
નમસ્કારમીમાંસા નમસ્કારોહન
મંત્ર ભલો નવકાર
For Private & Personal Use Only
3
www.jainelibrary.org