________________
દુન્યવી ઋદ્ધિનો લોભ રહેતો નથી. ભમરો ત્યાં સુધી જ ગુંજારવ કરે છે કે જ્યાં સુધી તેણે પુષ્પનો પરાગ મેળવ્યો નથી. જીવને દુન્યવી પદાર્થોનો લોભ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તેને આત્માની અનંતઋદ્ધિનું દર્શન થયું નથી. સિદ્ધપદને નમવાથી વાસ્તવિક રીતે તો પોતાના આત્મામાં જ રહેલી અનંતઋદ્ધિનું દર્શન થાય છે. તેથી તેનો બીજે દુન્યવી લોભ ટળી જાય છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે. મનુષ્ય જેમજેમ વધુ ને વધુ સંતોષવૃત્તિ કેળવતો ાય છે, તેમ તેમ તેનામાં સુખની માત્રા વધતી જાય છે. સુખનો સંબંધ સંતોષની સાથે છે, કારણ કે સુખનું મૂળ સંતોષ છે. એ સંતોષગુણની પ્રેરણા આપણને સિદ્ધપદ દ્વારા મળે છે, માટે સિદ્ધપદ આપણા માટે મહાન ઉપકારી, બની જાય છે. ખરેખર આ મહામંત્રનો પ્રભાવ વચનાતીત છે, અચિંત્ય છે. ગુણપ્રાપ્તિના લક્ષ્યપૂર્વક તેની ઉપાસના કરવાથી આ મહામંત્ર ભવ્યાત્માઓને આ ભવમાં જ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરાવી અને જીવન્મુક્તદશાને પ્રાપ્ત કરાવી અહીં જ મુક્તિસુખનો અનુભવ કરાવનારો બને છે. કહ્યું પણ છે કે કાયમુત્તિ : किल मुक्तिरे व । પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વો
ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્રમાં દેવ ગુરુ અને ધર્મનું જ સ્વરૂપ છે તે જ વિશ્વનું સ્વરૂપ છે. કારણ કે વિશ્વનું સ્વરૂપ નવતત્ત્વોથી અતિરિક્ત નથી અને નવપદસ્વરૂપ આ નમસ્કાર પણ નવતત્ત્વસ્વરૂપ હોવાથી વિશ્વસ્વરૂપથી ભિન્ન નથી.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવે તત્ત્વોનું જ્ઞાન પંચપરમેષ્ઠિના જ્ઞાનથી નીચે મુજબ થાય છે, માટે પંચપરમેષ્ઠિથી વિશ્વસ્વરૂપ નવતત્ત્વો જુદાં નથી.
પાપપ્રકૃતિથી સર્વથા રહિત અને પુણયપ્રકૃતિના પ્રકર્ષને પામેલા અરિહંતના જ્ઞાનથી-ધ્યાનથી પાપ અને પુણ્ય એ બે તત્ત્વોનું જ્ઞાન થઈ જાય છે.
અજીવના સંગથી સર્વથા રહિત અને જીવતત્ત્વથી પૂર્ણ શ્રી સિદ્ધભગવંતના જ્ઞાનથી અજીવ અને જીવતત્ત્વનું જ્ઞાન થાય છે.
શુદ્ધ આચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્યભગવંતો આશ્રવના દ્વારોને રોકનાર અને સંવરભાવને પામેલા હોય છે, તેથી તેમના ધ્યાનથી સંવર અને આશ્રવતત્ત્વનું જ્ઞાન થાય છે.
ઉપાધ્યાયભગવંત જ્ઞાન ધ્યાનમાં લીન હોવાથી તેઓને બંધ અલ્પ હોય છે અને ધ્યાનના બળે નિર્જરા અધિક હોય છે, માટે એમના ધ્યાનથી બંધ અને નિર્જરાતત્ત્વનું જ્ઞાન થાય છે. સાધુભગવંતો મોક્ષમાર્ગના સાધક હોવાથી તેમના ધ્યાનથી મોક્ષતત્ત્વનું જ્ઞાન થાય છે. શ્રી નમસ્કારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ
શ્રી અરિહંત અને સિદ્ધ એ અણાહારીપદના ભોક્તા હોવાથી તપપદની પરાકાષ્ઠા એમણે પ્રાપ્ત કરી છે. શ્રી આચાર્યભગવંતો આચારનું પાલન કરતા હોવાથી ચારિત્રગુણના માલિક છે. શ્રી ઉપાધ્યાયભગવંતો જ્ઞાનના પઠન-પાઠનમાં લીન રહેતા હોવાથી તેઓ જ્ઞાનપ્રધાન હોય છે.
શ્રી સાધુભગવંતોને દેવગુરુની આજ્ઞામાં અચળવિશ્વાસ હોવાથી તેઓ શ્રદ્ધા એટલે દર્શન-પ્રધાન હોય છે. ચાર ભાવનાના પ્રકર્ષથી ઉચ્ચપદની પ્રાપ્તિ
મૈત્રીભાવનાના પ્રકર્ષથી એટલે કે સર્વજીવરાશિ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, અહિંસકભાવ, સમાનભાવ ભાવવાથી મોક્ષ સાધક સમતામયી મુનિપદવી પ્રાપ્ત થાય છે.
પ્રમોદભાવનાના પ્રકર્ષથી એટલે કે બીજા જીવોમાં રહેલા પ્રગટ-અપ્રગટ ગુણોના બહુમાનથી-પ્રમોદ
૪૩૮ )
છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org