SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણેય કાળ ત્રણ-ત્રણ વખત ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ એ ભાવના પૂર્વક બાર-બાર શ્રી નવકાર ગણનાર વ્યક્તિની, વ્યક્તિના બનેલા સમૂહની અને સંઘના સ્થાપક શ્રી જિનેશ્વરદેવોની, તીર્થની, આજ્ઞાની અને પ્રવચનની કેટલી મોટી ઉન્નતિ અને તેના પ્રભાવની વૃદ્ધિ થાય અને પરંપરાએ કેટલાય આત્માઓ બોધિબીજની પ્રાપ્તિ કરી, સદ્ગતિની પરંપરાએ મુક્તિસુખના અધિકારી બને તે હકીકત વિચારશીલ પ્રત્યેક વ્યક્તિ વડે સહેલાઈથી સમજી શકાય તેવી છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ શ્રી અરિહંત પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની સ્તુતિ, એ અપેક્ષાએ શ્રી અરિહંતની સ્તુતિ છે. શ્રી અરિહંતમાં અરિહંતપણું તો છે જ, ઉપરાંત સિદ્ધપણું પણ છે. પોતાના ગણધરોને ઉપન્નઇ વા ઇત્યાદિ’ ત્રિપદીરૂપ સૂત્રની અર્થથી દેશના આપનારા હોવાથી તેમનામાં આચાર્યપણું પણ છે. તેમ જ સૂત્રથી દેશના આપનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે. કંચન, કામિનીના રાગથી અલિપ્ત, નિર્વિષયચિત્તવાળા, નિર્મળ, નિઃસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું ધારણ કરનારા પણ છે. એ રીતે પાંચે પરમેષ્ઠિમય હોવાથી શ્રી અરિહંતની સ્તુતિ, શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ, શ્રી અરિહંતની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને શ્રી પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત કથંચિત્ રહેલા છે. એ જ ન્યાય આગળ લંબાવતાં સમવિશ્વમાં શ્રી અરિહંત અને શ્રી અરિહંતમાં સમગ્રવિશ્વ રહેલું છે. જ્ઞાનના અને કરુણાના વિષયરૂપે સમગ્ર અચેતન અને સચેતન વિશ્વ શ્રી અરિહંતના ઉપયોગમાં રહેલું છે. કહ્યું છે ઃ जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥ વિશ્વના આત્મા શ્રી અરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્રવિશ્વ તેમના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે, મૈત્રીરૂપે, પ્રમોદરૂપે, માધ્યસ્થ્યરૂપે પ્રતિબિંબિત છે. તેથી શ્રી અરિહંતની સ્તુતિમાં સમગ્રવિશ્વની સ્તુતિ અને સમગ્રવિશ્વની સ્તુતિમાં શ્રી અરિહંતની સ્તુતિ સમાઈ જાય છે. આ નિશ્ચયની વિચારણા છે. નિશ્ચયનય અભેદનું અવલંબન લે છે. શ્રી અરિહંતમાં આત્મા અને આત્મામાં શ્રી અરિહંત, શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત, શ્રી અરિહંતમાં સમવિશ્વ અને સમવિશ્વમાં શ્રી અરિહંત એ સંગ્રહનયનો વિષય છે. શ્રી અરિહંતની નિશ્ચયસ્તુતિ, પંચપરમેષ્ઠિની સ્તુતિ અને આત્માની સ્તુતિ એ સમગ્રવિશ્વની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતની વ્યવહાર-સ્તુતિ, કેવળ શ્રી અરિહંતના આત્માની, આઠ મહાપ્રાતિહાર્યોની અને સમવસરણાદિ ઋદ્ધિની સ્તુતિરૂપ છે. એ રીતે નયવિભાગ સમજવો. પાંચ આચારની શુદ્ધિ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. અરિહંતને નમસ્કારથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. ૩૯૬ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy