SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ એવી જ રીતે અનુ=પશ્ચાત્ +રાગ સ્નેહ. અનુગ્રહની પછી જે ઉત્પન્ન થાય તે અનુરાગ. અનુગ્રહ અને અનુરાગ બંને મળીને ભાવનમસ્કાર બને છે, તથા ભાવનમસ્કાર દ્વારા સહજમળનો હ્રાસ અને તથાભવ્યત્વનો વિકાસ થાય છે. ‘નમો’ માતાના સ્થાને અને ‘અરિહંતાણં’ પિતાના સ્થાને છે. બંનેના સંયોગથી થતો. ક્ષયોપશમ રૂપ શુભભાવ ગર્ભધારણરૂપ ગણાય અને તેમાંથી કાળક્રમે ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે તે પુત્રજન્મ રૂપ ગણાય છે. પૂ. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી વીરપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે ‘ક્ષય-ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય.’ ક્ષાયિકભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે, ક્ષયોપશમભાવરૂપી ગર્ભધારણની અપેક્ષા છે અને ક્ષયોપશમભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધ જોઈએ છે. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વકમિલન. ઉપાસ્યનો. અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ મળવાથી મોહનીયકર્મના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે તેના ક્ષયરૂપી પુત્રજન્મ થાય છે. ‘નમો’ના સ્પષ્ટ અર્થને જણાવનારું નીચેનું સુભાષિત શ્રી વીતરાગસ્તોત્રના છેલ્લા પ્રકાશમાં છે ઃ तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्यस्मि किंकरः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रूवे ॥ ‘હે નાથ ! હે અરિહંત પરમાત્મન્ ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું.’ એ વાતમાં તમે હા પાડો, એ સિવાય હું બીજું કાંઇ માગતો નથી. શ્રી નવકારના પ્રથમપદનો જ આ ભાવાર્થ છે. વળી ‘નમો’ના ‘મો’નું ઊલટું ‘ઓં’. ‘નમો’ શબ્દમાંથી ‘ન’કાઢી નાખી ‘મો’ને ઊલટો કરવામાં આવે તો ‘ઓં’ બની જાય છે. ‘ન’થી હું બીજું કાંઈ માંગતો નથી' એમ સૂચવાય છે. અને ‘ઓ’થી ‘આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો' એવી પ્રાર્થના કરાય છે. અરિહંત એ નાથવાચક છે. ‘નમો’ના યોગે ચોથી વિભક્તિનો પ્રત્યય, દાસભાવને સૂચવે છે. એ રીતે પ્રથમપદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કશાનો અનાગ્રહ સૂચવાય છે. ‘નમો’નું ઊલટું રૂપ ‘મોન’ પણ થાય છે. ‘મોન-મૌન' મૌન એટલે મુનિપણું. ‘શ્રી અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ એવી ભાવના પણ ‘નમો અરિહંતાણં' પદમાંથી નીકળી શકે છે. પ્રથમપદનો ભાવાર્થ ‘સમ’ના પ્રથમ અક્ષર ‘સ’માંથી ‘સોડાં’ અને દ્વિતીય અક્ષર ‘મ’માંથી ‘સમમ’ પદ નીકળે છે. ‘નમ’ના પ્રથમ અક્ષર ‘ન'માંથી ‘નાડહં' અને દ્વિતીય અક્ષર ‘મ’માંથી ‘નમમ’ નીકળે છે. ૩૯૪ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy