SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ એક પલ્લામાં સંસારને મૂકો બીજા પલ્લામાં શ્રી નવકારને મૂકો તો શ્રી નવકારવાળું પલ્લું જ નમશે. કારણ કે સંસાર અસ્થિર છે. શ્રી નવકાર સુસ્થિર છે. એટલે શ્રી નવકારને ગ્રહણ કરવાથી સારભૂત જીવનની પ્રાપ્તિ થાય છે. અને શ્રી નવકારને સમર્પિત થવાથી – નવકાર એના ગૌરવને અનુરૂપ પરમપદની ભેટ એના શરણાગતને આપે છે. આવી સારની પોટલી જેમને પ્રાપ્ત થઈ છે તેઓ ખરેખર પુણ્યશાળી છે. અને જેઓ તન્મય બન્યા છે તેઓ સર્વથા કૃતકૃત્ય છે. શ્રી નવકાર એ રનની પેટી છે...... સ્કુલ રત્નો માણસને ગમે છે. માટે તેને મેળવવા માટે તે મહેનત કરે છે. અને જો મળી જાય છે તો જીવની જેમ સાચવે છે. તેમ છતાં આવાં રત્નોથી કોઈનું કાયમી દળદર નથી ફીટતું તે હકીકત છે. એટલે આ રત્નો કરતાં ચઢિયાતી શક્તિવાળાં રત્નો મેળવવા માટે વિવેકી આત્માઓ પુરૂષાર્થ ખેડે છે. અને તેને મેળવીને હર્ષવિભોર બની જાય છે. - જગતના ચોકમાં ઉભા રહીને ઉઘોષણા કરે છે કે "બંધુઓ” ! આવો આવો ! પ્રમાદ છોડીને આ રત્નોનાં પ્રકાશમાં આત્માને સ્નાન કરાવો ! આવા અણમોલ ૬૮ રત્નોની પેટી તે જ શ્રી નવકાર છે. એક હથેળીમાં કિંમતી રત્નને રાખો બીજી હથેળીમાં શ્રી નવકારના “ન” ને રાખો. અને પછી હેને હથેળીઓ ઉપર નજર ફેરવો. જો નજર શ્રી નવકારના “ન” ઉપર ઠરે તો માનવું કે આપણે સાચા રત્ન પારખું ઝવેરી છીએ. અને જો પત્થરના રત્ન ઉપર ઠરે તો માનવું કે આપણે જડ જેવા છીએ. પત્થરના રત્ન પાસેથી જે કાંઈ મળે છે તેવું આ જીવ, આ સંસારમાં અનંતીવાર મેળવી ચૂક્યો છે. . અને છતાં અતૃપ્ત જ રહ્યો છે. જ્યારે શ્રી નવકારની રત્નપેટીમાંના કોઈ એક પણ રત્નને પોતાના મનનો મુગટ બનાવનારા અક્ષય સુખના સ્વામી બન્યા છે. મુક્તિના વિરહમાં તડપતાં મુમુક્ષુને તો શ્રી નવકાર પ્રિયતમ લાગે છે. તેના અંગભૂત એક-એક અક્ષર માથે મૂકીને નાચવા જેવો લાગે છે. આ લોગમાં એવું કોઈ રત્ન નથી કે જે સર્વ કાળમાં એક સરખો પ્રકાશ પાથરતું હોય જ્યારે થઈ નવકારનો પ્રત્યેક અક્ષર સર્વકાળમાં પાપ પ્રણાશક પ્રકાશ પાથરી રહ્યો છે. એટલે કે શ્રી નવકાર રૂપી રત્નની પેટી દરિદ્રતાને તો દૂર કરે છે. પણ તેના કારણરૂપ પાપ અને પાપવૃત્તિ પણ નાશ કરે છે. - આ પેટીને તિજોરીમાં મૂકી દેવા માત્રથી કામ નહિ સરે. પણ હૃદયની પેટીમાં અહોભાવ પૂર્વક ગોઠવવાની છે. પછી સમજાશે કે તેને અણમોલ રત્નોની પેટી કહેનારા ભગવંતો કેટલા સાચા છે. આવી સાધના આજે કરીને તેનો અનુભવ કરી શકાય તેમ છે. એટલા અદ્ભૂત શ્રી નવકારનો પ્રભાવ છે. ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ 40 IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy