________________
અભેપ્રણિધાન-તાત્વિક નમસ્કાર
નમસ્કાર એ પરમસ્તુતિવાદ છે અને તે યથાર્થ ક્રિયાથી અનુસરતા સદ્ભૂત ગુણોના ઉત્કીર્તનરૂપ અને યથેચ્છ ફળપ્રસાધક છે.
ધ્યાનથી વિવશ બનીને જો નમસ્કારની ક્રિયા કરાય, તો શુભકાર્યોમાં વ્યાઘાત કરનારાં સર્વ વિઘ્નોનું સમૂળ ઉચ્છેદન કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
પ્રણિધાન” એટલે પ્રયત્નસાધ્ય ધ્યાન, તેને સિદ્ધ કરનારાં શ્રદ્ધા, મેઘા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાદિ પાંચ અંગો કહ્યાં છે.
શ્રદ્ધાદિથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન થાય છે, પ્રણિધાનથી ધ્યાતાને પોતામાં રહેલ જે પરમાત્મરૂપ તેનું નિઃશંક જ્ઞાન થાય છે અને ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત તન્મયપણું થવાથી ધ્યેય સાથેની એકતા સધાય છે.
પ્રણિધાન એટલે બેય પ્રત્યેની એકાગ્રતા, બેયને પ્રાપ્ત કરવાની અટલ આત્મશ્રદ્ધા, ધ્યેય પ્રત્યે પરમપ્રેમ, અખંડપ્રીતિ અને વિશ્વાસ તથા આશ્રય, શરણ અને અખંડ પ્રપત્તિ.
વાચ્યાર્થ સાથે પોતાના આત્માનો એકીભાવ, તે જ અભેદપ્રણિધાન અથવા તાત્ત્વિક નમસ્કાર છે.
પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંતભગવંતનો સ્વકીયઆત્મા સાથે અભેદ કરી “ તેવો ભૂવા રેવં ધ્યાતિ ” એ નિયમ મુજબ સર્વ રીતે ધ્યાન કરવું તે અભેદપ્રણિધાન છે.
અભેદબુદ્ધિ ઉત્પન્ન થયા પછી “ સૌs ' પદના ઉલ્લેખમાંથી “ ત' પદનો ઉલ્લેખ નીકળી જાય છે, માત્ર “ મહં રહે છે. ત્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રિપુટીનો ઉચ્છેદ થઈને ત્રણેયની એકતા સધાય છે. અનિર્વચનીય અને ચિન્મય એવી પરબ્રહ્મ નામની જ્યોતિ સ્કુરાયમાન થાય છે. તેની ફુરણાથી જ સર્વ ક્રિયાઓની સફળતા થાય છે. નવકારનું તાત્પર્ય અને તત્વ
તાત્પર્ય શ્રી નવકાર ૧. અનંતગમપર્યવ અર્થનું પ્રસાધક, ૨. સર્વમહામંત્ર અને પ્રવરવિઘાઓનું પરમબીજ, ૩. યથાર્થક્રિયાનુગત સભૂત ગુણોનું ઉત્કીર્તન તથા ૪. યથેચ્છફળપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. તત્ત્વ- તેવો ભૂત્વા ફેવું ને એ નિયમ મુજબ અભેદપ્રણિધાન છે. પરમાર્થથી સોડાંસ્વરૂપધ્યાન, એ ધ્યેયાવેશ છે. વાણી અને મનના મળથી મુક્ત અવસ્થામાં થતું દેવત્વનું અભેદાત્મક ધ્યાન એ તત્ત્વ છે. ૧. શબ્દાર્થ એ સ્વરૂપ છે. ૨. વાક્યર્થ એ અર્થ છે. ૩. મહાવાક્યર્થ એ ભાવાર્થ-સંપ્રદાયાર્થ છે અને ૪. ઔદંપર્ધાર્થ એ તાત્પર્યાર્થિ-તાત્વિક અર્થ છે. અનુપ્રેક્ષાકિરણ ૪
છે ૩૪૧
૩૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org