SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સહજમળ તે પર-પુદ્ગલના સંબંધમાં આવવાની શક્તિ છે. દુષ્કૃતમાત્ર તે શક્તિનું પરિણામ છે. તે શક્તિનું બીજ જ્યારે બળી જાય છે, ત્યારે પરના સંબંધમાં આવવાની ઇચ્છામાત્રનો વિલય થાય છે. પરને આધીન એવા સુખને પામવાની ઈચ્છા નષ્ટ થવાથી સ્વાધીન સુખને પામવાની ઇચ્છા વિકાસ પામે છે, તે જ તથા ભવ્યત્વભાવનો વિકાસ છે. સ્વાધીન સુખને પામેલાનું શરણ અચિંત્ય શક્તિશાળી છે. તે પરાધીન સુખની ઇચ્છાનો નાશ કરાવી, સ્વાધીન સુખની ઇચ્છાનો વિકાસ કરાવી અંતે સ્વાધીન સુખને સંપૂર્ણપણે પમાડીને જ જંપે છે. અનાદિનિગોદમાંથી જીવને બહાર કાઢનાર શ્રી સિદ્ધભગવંત છે, તેઓનું ઋણ પોતાને માથે ધારણ કરનાર, તેઓનાં સુકૃતનું નિરંતર અનુમોદન કરે છે. તે ઋણ જ્યાં સુધી પોતે ચૂકવી શકતો નથી ત્યાં સુધી પોતાના તે દુષ્કતની ગહ કરે છે. શ્રી સિદ્ધભગવંતના ઉપકારરૂપી સુકૃતને અને સંસારમાં રહીને પોતે અનેકને અપકાર કરે છે, તે રૂપ દુષ્કતને જે નિરંતર યાદ કરે છે તેને સાચું સુકૃતાનુમોદના અને સાચું દુષ્કતગહણ થાય છે. ગઈણ સહજમળનો નાશ કરે છે અને અનુમોદન ભવ્યત્વભાવનો વિકાસ કરે છે. તેના પ્રભાવે મુક્તિના પાંચેય કારણો આવી મળે છે. તેથી પાંચેય કારણો ઉપર પ્રભુત્વ શુભભાવનું છે. દ્વૈત અને અદ્વૈત નમસ્કાર - પરમેષ્ઠિ એટલે પરમ-ઉત્કૃષ્ટસ્વરૂપમાં જેઓ અવસ્થિત છે તે. આત્માનું ઉત્કૃષ્ટસ્વરૂપ સમભાવમાં છે. તેમાં જ જેઓ સ્થિત છે-અવસ્થિત છે, તેઓ પરમેષ્ઠિ કહેવાય છે. શ્રી અરિહંત અને સિદ્ધ કેવળ પૂજ્ય છે તેથી દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પૂજ્ય પણ છે અને પૂજક પણ છે તેથી ગુરુતત્ત્વ છે. ધર્મનો આત્મા દેવ અને ગુરુતત્ત્વ છે. એ બન્ને તત્ત્વોની ભક્તિ તે ધર્મનો પ્રાણ છે. એ પ્રાણની રક્ષા કરનાર મંદિર-મૂર્તિ-પૂજાદિ ધર્મનાં દેહ અને વસ્ત્રાલંકાર છે. મોટાઓ પાસે આપણી લઘુતા અને તેઓની ગુરુતા પ્રગટ થાય એવું વર્તન કરવું તેનું નામ નમસ્કાર છે. તેના બે ભેદ છેઃ વૈત અને અદ્વૈત. જ્યાં સુધી વિશેષ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી હું ઉપાસક અને તે ઉપાસ્ય એવો દૈતભાવ હોય છે, તે દૈતનમસ્કાર છે. રાગદ્વેષના વિકલ્પોનો નાશ થઈ જવાથી ચિત્તની એટલી બધી સ્થિરતા થઈ જાય છે કે તેમાંથી દૈતભાવ જ ચાલ્યો જાય તે અદ્વૈતનમસ્કાર છે. તે સ્થિતિમાં પોતાની જાત જ ઉપાસ્ય બને છે અને પોતાના શુદ્ધસ્વરૂપનું જ ધ્યાન થયા કરે છે. દ્વતનમસ્કાર અદ્વૈતનમસ્કારનું સાધન માત્ર છે. સિદ્ધોના પરોક્ષસ્વરૂપને બતાવનાર શ્રી અરિહંત છે. તેથી વ્યવહારદષ્ટિએ તેઓ પ્રથમ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓનો ક્રમ પૂર્વાનુપૂર્વીથી છે એમ સાબિત થાય છે. જપની ક્રિયા દેખફલા છે જપની ક્રિયા દષ્ટફલા-પ્રત્યક્ષ ફળ આપનારી છે. મંત્રશક્તિ કોઈ દિવસ પણ ખોટી પડતી નથી. જેમ વીજળીના પ્રવાહ (current)માં વીજળીનું સામર્થ્ય રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy