SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર અને તેનો પ્રભાવ નમસ્કાર એ બીજાનો પરિચય પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે. એકબીજાનું ઉચિત સન્માન કરવું તે શાસ્ત્રોક્ત કર્તવ્ય છે. નમસ્કાર બીનજરૂરી છે, અનાવશ્યક છે એમ માનનાર અવિચારક છે તે Æયની દરિદ્રતાને સૂચવે છે, પોતામાં રહેલી શ્રેષ્ઠતાની ખામીને સૂચવે છે. ગુરુજનોને નમસ્કાર કરવામાં અપમાન, દીનતા કે નાનપ નથી. શ્રેષ્ઠપુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ એની મોટપ રહેલી છે. ધર્મશાસ્ત્રો કહે છે કે મહાપુરુષોનાં ચરણોમાં એક દિવ્ય આત્મશક્તિનો પ્રવાહ વહેતો હોય છે. તે નમસ્કાર કરનારને અતિ લાભપ્રદ અને પુણ્યપ્રદ નીવડે છે. એ કારણે ગુરુજનોને નમસ્કાર કરવો તે માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય મનાય છે. જીવદ્રવ્યના તિરસ્કારોરૂપી ઝેરને સમગ્ર મનમાંથી નિચોવી નાંખવાનું અદ્વિતીય સાધન નમસ્કાર છે. તિરસ્કાર કરવાથી, તિરસ્કાર કરનાર સ્વયં તિરસ્કૃત થાય છે. અર્થાત આપમેળે આત્મભાવથી ભ્રષ્ટ થાય છે. શેય પદાર્થોના તિરસ્કારના પરિણામ સ્વરૂપ પોતાના આત્માનો જ તિરસ્કાર થાય છે. જ્યારે વિવેકપૂર્વકના નમસ્કારથી નમસ્કાર કરનારમાં આત્મભાવ પ્રગટે છે, આત્મપ્રીતિ પ્રગટે છે. બીજા પ્રત્યેની કઠોરતાનું નમસ્કાર દ્વારા કોમળતામાં રૂપાંતર થાય છે, તેથી પરસ્પર સાચી નિકટતા સધાય છે. બત્રીસે દાંત કઠોર છે, તીક્ષ્ણ છે, તે બધાંની વચ્ચે એક જીભ દીર્ઘકાળ સુધી હેમખેમ રહી શકે છે, તેનું કારણ તેની સ્વાભાવિક કોમળતા છે, મૃદુતા છે. તેમ નમસ્કારનિષ્ઠ આત્મા પણ આ સંસારમાં કોઈ જીવને ખેદ પમાડ્યા સિવાય ધર્મધ્યાનાદિમાં સ્વસ્થ રહી શકે છે. ધર્મના ત્રણ હેતુ ભક્તિપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનું સ્મરણ, ભાવથી સર્વ જીવોનું હિતચિંતન અને સર્વ પદાર્થો ઉપરની મારાપણાની બુદ્ધિનો ત્યાગ-એ ત્રણ ધર્મના હેતુ બને છે. “નમો' રૂપી સરિતા નમો'રૂપી સરિતા, અરિહંતરૂપી સાગરમાં ભળે ત્યારે નમસ્કાર સાર્થક થયો કહેવાય. નમસ્કારને ગણનાર પ્રત્યેક સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષરૂપી સાગરમાં પોતાની જીવરૂપી નદીને ભેળવી દઈ સ્વયં સાગરરૂપ થવાનો અભ્યાસ કરે છે. ઉદકબિંદુ સાગરમાં ભળે તો સાગર થઈ જાય છે. નમસ્કારરૂપી ઉદકબિંદુ અરિહંતરૂપી સાગરમાં ભળી જાય તો અક્ષય બની જાય. નમસ્કાર અને તેનો પ્રભાવ છે. ૨૨૧ ૨૨૧ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy