SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બિમારીમાં આવેલા બાળમુનિએ જીદ પકડી કે હું સાથે જ આવીશ. પૂજ્યશ્રીએ ઘણું સમજાવ્યું ત્યારે બાળમુનિ કહે કે “સાહેબજી ! મને શાસ્ત્રના અમૃતનું પાન કોણ કરાવશે.? હું તો આપની સાથે જ આવીશ. આપની વાણીમાં મને એવો તો અપૂર્વ આનંદ આવે છે કે મારું દુઃખ અને દર્દ બધું ભુલાઈ જાય છે. !” બાળમુનિની જ્ઞાનપિપાસાની જીદ પૂજ્યશ્રી પારખી ગયા. તેઓશ્રીએ કહ્યું: “બાલમુનિ ! તમારી તબિયત બિલકુલ સારી નથી. તમારાથી લગીરે ચલાય એમ નથી. તમને સખત ટાઈફોઈડ છે. તમારે તત્ત્વ સાંભળવું છે ને? તો હું જતાં પહેલાં તમને એક સાથે બધું આપતો જઈશ કે જેથી તમે નવ દિવસ સુધી એનું પાન કરતા રહો. બરાબર વિચારતા રહો અને હું પાછો આવું ત્યારે મને બરાબર સંભળાવજો બસ? વહાલની વેણુમાંથી સમજાવટનું જે સંગીત નીકળ્યું તે મુનિને સ્પર્શી ગયું. મુનિ માની ગયા. બિમાર બાલમુનિના કાન પાસે મુખ રાખી આ વાત્સલ્યમૂર્તિએ નિજની નાજુક તબિયતની અવગણના કરીને પૂરા દોઢ કલાક સુધી “નવ પ્રકારનાં પુણ્ય” ઈત્યાદિ શાસપીયૂષ મુનિને પાયું, પછી જ પોતે વિહાર કર્યો. નિઃસ્પૃહતાના ઉપાસક એક દિવસ તેમની પાસે એક પ્રેસરિપોર્ટર આવ્યો. તેણે કહ્યું, “હું ઘણા મુનિ ભગવંતોનાં ચાતુર્માસના અહેવાલો દૈનિક પેપરોમાં પ્રગટ કરું છું. તેનો મહિને લગભગ પચાસ રૂપિયાનો ચાર્જ લઉં છું.” પંન્યાસજી મહારાજે આ સાંભળીને કહ્યું આ રીતે તમે સાધુના પરિચયમાં આવો છો તો કયારેક તમને આધ્યાત્મિક લાભ થશે. મહિનાના પચાસ રૂપિયા લેખે હું તમને ચાર મહિનાના રૂ. ૨૫૧ અપાવી દેવા તૈયાર છું, પણ એક શરત છે કે મારો કોઈ અહેવાલ છાપામાં પ્રગટ ન થવો જોઈએ.” જે જમાનામાં નામ માટે પડાપડી થતી હોય, ત્યાં પ્રશંસાથી પર રહેવાની પૂજ્યશ્રીની મનોવૃત્તિ જોઈને પ્રેસ રિપોર્ટર આશ્ચર્ય અનુભવી રહ્યો ! એને થયું કે કેવી આ અધ્યાત્મનિષ્ઠા ! કેવી આ વિરલ વિભૂતિ ! સંયમરક્ષા માટેની જાગૃતિ પૂજ્યશ્રીને કોટથી વિહાર કરી વડાલા જવું હતું સાથે એક મુનિ પણ હતાં. ઈર્યાસમિતિના ઉપયોગપૂર્વક પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા. અચાનક રસ્તામાં વિહારની વાટે વર્ષ શરૂ થઈ. વિરાધનાના ભયથી બચવા માટે પૂજ્યશ્રી તરત જ રસ્તાની એક દુકાનના છજા નીચે જતા રહ્યા. અડધો કલાક રોકાયા. વરસાદ બંધ પડ્યો. સાથે રહેલા મુનિભગવંતે કહ્યું, “સાહેબ ! વરસાદ બંધ થઈ ગયો છે, આપની આજ્ઞા હોય તો આગળ ચાલીએ.” પૂજ્યશ્રીએ સ્નેહપૂર્ણ શબ્દોમાં કહ્યું, “ભાઈ હમણાં જ વરસાદ બંધ થઈ ગયો છે, તેથી વરસાદનું સચિત્ત પાણી વિખરાયેલું પડ્યું છે. આ તો રાજમાર્ગ છે, લોકો આવ-જા કરે છે. દશ મિનિટ બાદ લોકોની અવર-જવરથી આ પાણી (પ્રાયઃ) અચિત્ત થઈ જશે, પછી ચાલશું.” આ સાંભળતાં સાથેના સાધુ દિગૂઢ થઈ ગયા. પૂજ્યશ્રીની જીવરક્ષા માટેની અને સંયમ રક્ષા માટેની આવી સાવધાની જોઈ અનુમોદના કરતાં થોડીવાર પછી આગળ વધ્યા. કરુણાસાગર - એક દિવસ સાંજના વિહાર હતો. ડામરની સડક હતી. રસ્તા પરનો ડામર પીગળી ગયો હતો. તેમાં એક સાપ ફસાયેલો હતો. છૂટવા માટે તરફડિયાં મારતા એ સર્પને પૂજ્યશ્રીએ જોયો. દયાળુ દિલના દાનેશ્વરી દીનબંધુ એવા ગુરુદેવથી આ દશ્ય જોવાયું નહિ. તરત જ સાથેના એક શ્રાવકને નવકાર સંભળાવવા જણાવ્યું. શ્રાવકે નવકાર સંભળાવ્યો. પોતે પણ નવકાર બોલતા હતા. ર ર ધ સયા પર દયાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy