________________
અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલું ચિત્તવન સાત સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એક પદનું ચિન્તવન પચાસ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર શ્રી નવકારનાં નવે પદોનું ચિત્તવન પાંચ સો સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એ સંબંધી આગમગ્રન્થોમાં ફરમાવ્યું છે કેनवकारएकअकबर, पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पएणं, सागर पणसय समग्गेणं ॥१॥ जो गुणइ लक्खमेगं, पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगोअं, सो बंधइ नत्थि संदेहो ॥२॥ अटेव य अट्ठसया, अट्ठसहस्स अट्ठलक्ख अट्ठकोडीओ । जो गुणइ भत्तिजुत्तो, सो पावइ सासयं ठाणं ॥३॥
શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રી નવકારમંત્રના એક પદવડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકારવડે પાંચ સો સાગરોપમનું પાપ નાશ પામે છે. ૧. જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે તે નિઃસંદેહ શ્રી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે. ૨. જે ભક્તિયુક્ત આત્મા આઠ, આઠ સો, આઠ હજાર, આઠ લાખ કે આઠ ક્રોડ નમસ્કારને ગણે છે તે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. ૩.
શ્રી “લોકપ્રકાશ” આદિ આકાર પ્રન્થોના રચયિતા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ વર્ણવતાં સુપ્રસિદ્ધ આરાધનાસ્તવન' માં ફરમાવે છે કે :
દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપર એ સમરો, ચૌદ પૂર્વનો સાર. ૧
જન્માંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર, આ ભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર. ૨
જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૩
શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ;
શિવકુમાર જોગી, સોવન પુરિસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ. ૪ અર્થ સ્પષ્ટ છે.
શ્રી નવકારમંત્ર યા શ્રી નવકારમંત્રના બીજથી વાસિત કોઈ પણ મંત્ર, તેના આરાધક આત્માને જન્માંતરોમાં અનેક પ્રકારના ફાયદા કરે છે. એટલું જ નહિ પણ આ ભવમાં પણ તે અનેક પ્રકારના લોભોને આપે છે. તેમાંના કેટલાક ફાયદાઓને વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી શ્રી યોગશાસ્ત્ર' નામના મહાશાસ્ત્રમાં ફરમાવે છે કેध्यायतोऽनादिसंसिद्धान, वर्णानेतान् यथाविधि । नष्टादिविषये ज्ञानं, ध्यातुरूत्पद्यते क्षणात् ॥१॥ મંત્રાક્ષરોના આ અનાદિસંસિદ્ધ વર્ગોનું વિધિ મુજબ ધ્યાન કરનાર ધ્યાતાને નદિ વિષયક જ્ઞાન ઉત્પન્ન
થાય છે.
એ જ શ્લોકની સ્વોપન્ન વૃત્તિમાં તેઓશ્રી એક પ્રાચીન શ્લોક ટાંકીને અનાદિસંસિદ્ધ મંત્રાક્ષરોના જાપથી થનારા ફાયદાઓનું જ્ઞાન કરાવે છે. તે શ્લોક નીચે મુજબ છે
जापाज्जयेत्क्षयमरोचकमग्निमान्यं, कुष्ठोदरामकसनश्वसनादिरोगान् । प्राप्नोति चाऽप्रतिमवाग महतीं महद्भ्यः, पूजां परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ॥१॥ અનાદિસંસિદ્ધ મંત્રાલરોના જાપથી આ લોકમાં શરીરનો ક્ષય, ખોરાકની અરુચિ, જઠરાગ્નિની મંદતા,
નમસ્કારનું ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org