SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫ ) તે સંબંધી નૈતિક શ્રદ્ધા કે આંતરસ્ફુરણાના સંબંધમાં, યુરોપીયના અને ભારતવાસીઓ વચ્ચે મેાટા મતભેદ પડે છે એમ પણ મારે કહેવુ પડે છે. યુરોપીયના જીવનમાં સુકૃત્યેાની આવશ્યકતાના સ્વીકાર કરે છે. આમ છતાં, અપકૃત્યોથી પરાઙમુખતા આવશ્યક છે. જોકે અપકૃત્યથી દૂર રહેવું અને એ રીતે સંત પુરૂષ જેવા થવું એ આદર્શોને તેઓ પ્રાધાન્ય આપતા નથી. સદ્ગુણની પ્રાપ્તિ નિમિત્તે, આત્માના આંતરિક ગુણૈાના વિકાસ કરીને ઉચ્ચ પ્રકારની નીતિ અને ચેાગ્યતાનું સુંદર રીતે સંપાદન કરવુ એ તમનાં જીવનનેા આદર્શ છે. ખરેખરા મહાન સંતપુરૂષા જીવનની પવિત્રતા માટેઆ આદર્શ સેવે છે. સક્રિય જીવન વ્યતીત કરીને, કર્તવ્ય--પાલનથી જગતનું શકય કલ્યાણુ કરવું એ યુરાપીયનાના જીવન-આદર્શ છે. એ આદર્શોનાં પાલનથી, પ્રત્યેક વ્યક્તિને નૈતિક દૃષ્ટિએ ઉચ્ચ વિકાસ થાય છે. એ આદર્શનું અનુષ્ઠાન જીવનમાં અલ્પ વિજયશાલી મનુષ્યાને અનુકરણરૂપ અને કલ્યાણકારી થઇ પડે છે. સુરાપીઅનેાનુ' જીવન અવિરત રીતે ક્રિયાશીલ શામાટે હૈય છે તે આ ઉપરથી સમજી શકાશે. ચુરાપીયનાનાં સતત સક્રિય જીવનને સંસારી જીવનજ માની લેવું એ એક પ્રકારના ભ્રમજ છે. ભાતિક પ્રગતિના આધુનિક યુગમાં, યુરેાપના ઘણાખરા મનુષ્યે સંસારિક જીવન ભલે ગાળતા હેાય, છતાંયે યુરોપીયનાનાં સક્રિય જીવનને સાંસારિક જીવનજ માની લેવું એ યુક્ત નથી. ચુરાપીયનેાના જીવનના ઉચ્ચ આદર્શની ઉપેક્ષા કરવી એ એક પ્રકારની સ`કુચિત વૃત્તિ છે. આજે ઘણાયે યુરાપીયન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005231
Book TitleJain Dharm nu Utkrushta Swarup
Original Sutra AuthorN/A
AuthorYashovijay Jain Granthmala
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy