________________
( ૧૪ ) હવે આપણે માંસાહારના પ્રશ્નને આધુનિક દષ્ટિએ વિચાર કરીએ. આધુનિક કાળમાં, ખાદ્ય પદાર્થોનું પૃથક્કરણ વૈજ્ઞાનિક દષ્ટિએ થયું છે. એ પૃથક્કરણ ઉપરથી, ફળ, સૂકાં ફળ આદિમાં માંસ કરતાં વિશેષ પોષક તત્ત્વો હોવાનું માલુમ પડ્યું છે.
કોઈ મનુષ્યનું શરીર સ્વસ્થ હોય તો, તેનું ચિત્ત પણ સ્વસ્થ રહે છે. આ સિદ્ધાન્ત એ તે સત્ય છે કે, તેની સત્યતા સિદ્ધ કરવાને માટે કોઈ સવિશેષ પ્રમાણુની આવશ્યકતા રહેતી નથી. જે મનુષ્યનું સ્વાથ્ય સારું હોય તેનામાં કાર્ય કરવાની શક્તિ વિશેષ હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ.
માંસાહારી દેશે માં જે જે વ્યાધિઓ માલૂમ પડે છે તેમાંના ઘણાખરા માંસાહારથી જ પરિણમે છે. ગમે તેવું સારું જણાતું માંસ પ્રાય: રોગોત્પાદક હોય છે. ગમે તેવું સ્વચ્છ અને સ્વાચ્ચદાયી જણાતું માંસ ઓછેવત્તે અંશે ક્ષત્પાદક અવશ્ય હોય છે. સારામાં સારા માંસની ઉત્પાદકતા, સરકારી નિરીમકેની સંપૂર્ણ કાળજી છતાં બીલકુલ પારખી શકાતી નથી.
આ ઉપરાંત, માંસાહાર નિમિત્તે જે જાનવરોની કતલ કરવાની હોય તે જાનવરે ક્ષય રહિત હોય એવું ભાગ્યે જ બને છે. ઇંગ્લંડના શાહી કુટુંબની ગાયે ક્ષયગ્રસ્ત હેવાનું દષ્ટાન્ત તાજી જ છે. આથી એ સંબંધમાં કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી જ નથી.
બુદ્ધિશાલી કાર્યકરોને માટે, માંસાહાર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રતિકૂળ છે એમ આ સર્વ ઉપરથી મને તો લાગે છે. માંસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org