SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ભાવાર્થ-એક વર્ષ પર્યત આહારરહિત ઉપવાસી રહ્યા છતાં અને અનેક પ્રકારના પરિસહ સહન કર્યા છતાં “હું મારા નાના ભાઈઓને વંદના કેમ કરુ?” એવું અભિમાન હતું ત્યાં સુધી બાહુબલિને કેવળજ્ઞાન ન થયું. અને માન તજયું કે તરત થયું; માટે અભિમાનવડે ધમ થઈ શકતું નથી. અહીં બાહુબલિનું દષ્ટાંત જાણવું તે આ પ્રમાણે બાહુબલીનું દષ્ટાંત ભરતચક્રીએ છ ખંડને વિજય કર્યા પછી પોતાના અઠ્ઠાણું ભાઈઓને બેલાવવાને તેણે તે મોકલ્યા. દતાએ જઈને કહ્યું કે-“આપને ભરત રાજા બોલાવે છે, તેથી સઘળા બંધુઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા કે-“ભરત લેભ રૂપ પિશાચથી ઝરત થઈ મત્ત બનેલો છે. તેણે છ ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે છતાં તેના લેભની તૃષ્ણા શાંત થતી નથી. અહિ કેવી ભાંધતા!” કહ્યું છે કે – લોભમૂલાનિ પાપાનિ, રસમૂલાનિ વ્યાધયઃ સ્નેહમૂલાનિ દુઃખાનિ, ત્રીણિ ત્યકત્વા સુખી ભવ છે “લેભ પાપનું મૂળ છે, રસ (સ્વાદ) વ્યાધિનું મૂળ છે, અને સ્નેહ દાખનું મૂળ છે, માટે એ ત્રણે વાનાંને ત્યજીને સુખી થા.” વળી કહ્યું છે કે – ભેગા ન ભુક્તા વયમેવ ભુક્તાસ્ત ન તખ્ત વયમેવ તપ્તા કાલો ન યાત વયમેવ યાતાતૃષ્ણ ન જીણું વયમેવ જીણું - “અમે ભાગ ભગવ્યા નહિ પણ અમે જાતે ભેગવાયા, અમે તપ કર્યું નહિ પણ અમે તપ્ત થયા, કાળ ગયો નહિ પણ અમે ગયા અર્થાત્ અમારી વય ગઈ, અને તૃષ્ણા જીર્ણ થઈ નહિ પણ અમે જીર્ણ થયા અર્થત અમારી વય જીર્ણ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy