SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૩૭૭ ,, અને કહેવા લાગી કે હું પ્રાણેશ ! આ ધન લેવું અમને ઘટતુ નથી. કેમકે અમે પુછ્યાંગના કહેવાઈએ છીએ; એટલે તે અમે અમારા દેહવડે પુરુષાને સુખ ઉત્પન્ન કરીને તેનુ. ચિત્ત પ્રસન્ન કરી પછી તેઓએ પેાતે જ ઉપાર્જન કરીને આપેલુ ધન અમે ગ્રહણ કરીએ છીએ. માટે આ ધન તમે લઈ જાઓ, અથવા તે અહી રહીને આ ધનવડે મારી સાથે વિષયસુખ ભાગવા. હે નાથ ! આ તમારી યુવાવસ્થા કાં! અને આ તપનુ કષ્ટ કર્યાં! આ ધન, આ યુવાવસ્થા અને આ મારા સુદર આવાસ—તે સર્વ સહેજે પ્રાપ્ત થયેલુ અને ભાગવવા યેાગ્ય છે. તેને પામીને કર્યા મુગ્ધજન તપસ્યાદિકનાં કષ્ટો સહન કરી દેહને શાષણ કરે ? ” આ પ્રમાણેનાં અત્યંત કામળ તે વેશ્યાનાં વચના સાંભળીને ભાગકમ ના ઉદયને લીધે તે નક્રિષણ તેના જ ઘરમાં રહ્યા. પછી હમેશાં દશ દશ પુરુષાને પ્રતિબાધ પમાડવાના અભિગ્રહ લઈ રાહરણ વિગેરે સાધુના વેષને ચાખી.ટીએ મૂકીને તે વેશ્યા સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા. દરરોજ પ્રાતઃ કાળે દશ પુરુષાને પ્રતિઐાદ્ય પમાડયા વિના તે પેાતાના મુખમાં જળ પણ નાંખતા નહીં, અને જેએએ તે પ્રતિબેાધ પમાડતા તેઓ ભગવંત પાસે આવીને દીક્ષાગ્રહણ કરતા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં તેમને ખાર વર્ષ વ્યતીત થયાં. બાર વર્ષને અંતે એક દિવસ નવ પુરુષા પ્રતિમાધ પામ્યા. દશમા સેાની મળ્યા તે કાઈ રીતે પ્રતિબંધ પામ્યા નહીં; પણ ઉલટા ષિષ્ણુને કહેવા લાગ્યા કે તમે બીજાને પ્રતિમાધ કરી છે, પણ તમે જ ચારિત્રના ત્યાગ કરીને અહીં વેશ્યાને ઘેર કેમ રહ્યા છે ? ” એમ તે પ્રતિકૂળ વચના કહેવા લાગ્યા પણ પ્રતિબેાધ પામ્યા નહી.. તે વખતે વેશ્યા 6 ઉત્તમ રસવાળી રમવતી ( ભેાજન ) તૈયાર કરીને તેને બોલાવવા આવી << અને કહ્યું કે હું પ્રાણનાથ? રસવતી ઠં`ડી થઈ જાય છે, માટે જમવા ઉઠો.” નદિષેણે કહ્યું કે “ આ એક દશમા પુરુષને પ્રતિબેધ પમાડીને હમણાં આવુ છું.... ” એમ કહીને તેને પાછી વાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy