SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપદેશમાળા એ સ્વામિન્! રણુસિ’હુ કુમાર રત્નવતી' પારિગ્રહણ કર્યા વગર રસ્તેથી જ પાછા વળ્યા એ ઘણુ અનુચિત કર્યુ” છે, તેણે અમને લજ્જિત કર્યાં છે; પરંતુ રત્નવતી તેા તેમના વિષે એકચિત્તવાળી જ રહી છે. તેથી હવે તેના પાણિગ્રહણ અર્થે કુમારને માકલા.” કનશેખરે કુમારને બેોલાવી આજ્ઞા કરી કે રત્નવતીના વિવાહ માટે જાએ.’ કમળવતીના વિરહથી જોકે તેનુ મન વ્યગ્ર હતું, તાપણુ પિતાના આગ્રહથી તેણે કબૂલ કર્યું. શુભ દિવસે સન્યસહિત ચાલ્યા. શુભ શુકન જોઈ પ્રયાણ કરતાં પાડલીખડપુર સમીપે આવ્યા. એટલે પ્રિયાની શેાધ માટે ફરતાં ફરતાં ચક્રધર ગામની સમીપના ઉદ્યાનમાં આવી, ત્યાં તંબૂ નાંખી પડાવ કર્યાં. કુમાર ચક્રધરદેવની પૂજા કરવા ચાલ્યા, તે વખતે તેમની જમણી ચક્ષુ ફરકી, તેથી તે વિચારવા લાગ્યા કે— આજ કાઈ ઇષ્ટના સંયાગ થશે, પરંતુ કમલવતી વિના મને ખીજું કઈ ઈષ્ટ નથી; તેથી જો તે મળી આવે, તે ખરા ઇષ્ટ લાભ પ્રાપ્ત થયા માનુ પ્રમાણે વિચારે છે, તેવામાં પુષ્પબટુક રૂપધારક કમલવતીએ પુષ્પ લાવીને કુમારના હસ્તમાં મૂકયાં. કુમારે તેને યોગ્ય મૂલ આપ્યું.. પછી પુષ્પષ્ણટુકે વિચાર્ય" કે આ રણસિંહ કુમાર રત્નવતીના પાણિગ્રહણાર્થે જતા જણાય છે.' કમળવતી કુમારને જોઈ અતિ હર્ષિત થઈ. કુમાર પણ પુષ્પમટુકરૂપ ધરનારી કમળવતીને પુનઃ પુનઃ જોતા સત્તા વિચાર કરવા લાગ્યા કે --‘આ મારી પ્રાણવલ્લભા કમલવતીના જેવા દેખાય છે. અને જોઈ ને મારું મન અતિ પ્રફુલ્લિત થાય છે.' એ પ્રમાણે ચિન્તન કરતા વિસ્મયથી તેને પુનઃ પુનઃ જોતાં પણ તૃપ્ત થયા નહિ. કમલવતી પણ સ્નેહ કરીને પેાતાના પ્રિયને નિરખવા લાગી, પછી કુમાર મટુકને સાથે લઈને પેાતાના મુકામે આવ્યા, અને ભેાજન વિગેરેથી ભક્તિપૂર્વક તેનુ' બહુ સન્માન કરીને તેને પાતાની પાસે બેસાડયેા. પછી કુમાર તેને કહેવા લાગ્યા કે— હે બટુક ! તારુ' અંગ ફ્રી*ીને જોતાં છતાં મને તૃપ્તિ થતી નથી. તારુ દન મને અતિશય " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy