SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉપદેશમાળા “ જેની અંદર દૃષ્કમાં સ'ખ'ધી પ્રયાસ નથી, જેની અ’દર ખરાબ સ્ત્રી, પુત્ર કે સ્વામીનાં દુર્વાકયશ્રવણનું... દુઃખ નથી, જેની અંદર રાજા આદિને પ્રણામ કરવા પડતા નથી, જેની અંદર ભાજન, વચ્ચે ધન કે સ્થાન માટે ચિંતા કરવી પડતી નથી, જેની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેાકેા પૂજા કરે છે, શાંતભાવ પરિણમે છે, અને પરભવે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે એવા મેાક્ષદાયક ચારિત્રમાં હૈ વિદ્વાન્ પુરુષા! તમે પ્રયત્ન કરો.” 6 ( માટે ચારિત્ર ગ્રહણ કરી, અનશન કરવાવર્ડ નલિનીગુલ્મ વિમાન મેળવી શકાય છે.’ એ પ્રમાણે ગુરુમુખથી સાંભળીને અવ'તિકુમાલે કહ્યું કે મે' ચારિત્ર અને અનશન ભાવથી અંગીકાર કર્યુ” છે.' ગુરુએ જ્ઞાનથી જાણ્યુ કે ' આનુ` કાર્ય આ પ્રમાણે જ સિદ્ધ થવાનુ છે તેથી તેને રાત્રિએ જ સાધુવેષ આપ્યા. તે વેષ ધારણ કરીને તે શહેરથી બહાર સ્મશાનભૂમિએ જઈ કચેર (થી૨)ના વનમાં કાર્યાત્સગ મુદ્રાથી રહ્યા. ત્યાં જતાં માર્ગોમાં કાંટા, કાંકરા આદિના પ્રહારથી, અતિકામલ એવા તેના ચરણના તળીયામાંથી રુધિર સ્રવવા લાગ્યું. તેના ગંધથી પૂર્વ ભવમાં અપમાનિત કરેલી સ્ત્રીના જીવ શિયાળણી ઘણાં બચ્ચાંઓથી પરિવૃત્ત થઈ ત્યાં આવી અને તેનું શરીર ખાવા લાગી. પરંતુ તે મુનિ જરાપણુ ક્ષુભિત થયા નહિ. તેમનું ચિત્ત સ્થિર હાવાથી અતિ વેદના સહન કરતા સતા કાળ કરીને તે નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રાતઃકાળમાં તે સગળુ' તેની માતા ભદ્રાએ જાણ્યુ'. એટલે એક ગવ'તી વહુને ઘરમાં રાખીને બાકીની તમામ વહુએ સાથે ભદ્રાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ઘર આગળ રહેલી વહુને એક પુત્ર થયા તે પુત્રે સ્મશાનભૂમિમાં એક જિનપ્રાસાદ ચણુાવ્યા અને તેમાં જિનપ્રતિમા સ્થાપી. સ્મશાનનુ' નામ ૮ મહાકાલ ” પડયું. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy