SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ માળા ૧૭૯ ઉદ્યોત કરનાર! હે મિથ્યાત્વને નિવારનાર! તમને ધન્ય છે, તમે જ ખરેખરું જીવિતાનું ફળ મેળવ્યું છે. હું અધન્ય છું, મેં તમને બહુ રીતે ચલાવવા પ્રયાસ કર્યો પણ તમે ચળ્યા નહિ. હવે કૃપા કરીને સમ્યકતવ આપીને મારો ઉદ્ધાર કરે. આ પ્રમાણે કહીને સ્થૂલિભદ્રની પાસે સમ્યફવના ઉચ્ચાર પૂર્વક બાર વ્રત અંગીકાર કરી તે કશા પરમ શ્રાવિકા થઈ. તે સાથે “રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ” એ પ્રમાણે લેગ સંબંધી પચ્ચખાણ લીધું, તેમજ જીવ અજીવ આદિ તની પણ જાણકાર થઈ. એ પ્રમાણે કેશા વેશ્યાને પ્રતિબોધ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી સ્થૂલિભદ્ર મુનિ શ્રી સંભૂતિ વિજયાચાર્યની પાસે આવ્યા. પેલા ત્રણ મુનિએ સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા. ગુરુએ તે ત્રણેને દુષ્કર કાર્ય કર્યું” એ પ્રમાણે એકવાર કહીને માન આપ્યું હતું, પરંતુ ધૂલિભદ્ર મુનિને “દુષ્કર કાર્ય કર્યું” એમ ત્રણવાર કહી ઘણા આદર પૂર્વક માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિનાં મનમાં મસર આવ્યો કે “ગુરુને વિવેક તે જુઓ કે તેઓએ સુધા ને તૃષાથી પીડાયેલા અને “દુષ્કર કર્યું” એમ માત્ર એક વખત કહ્યું, અને પરસને ખાનાર તથા મેહ ઉપજાવે એવા સ્થાનની અંદર રહેનારને “દુષ્કર કર કર્યું ? એમ ત્રણ વખત કહ્યું.” એ પ્રમાણે તેણે મનમાં મા સર ધારણ કર્યો. હવે એક દિવસ નદ રાજાની આજ્ઞાથી કઈ રથકાર કેષા વેશ્યાના મંદિરે આવે તેની બારીમાં રહીને તેણે બાણુસંધાને વિદ્યાથી આમ્રફલની લુંબ ત્યાં બેઠા બેઠા આ પિતાની કલા બતાવી, એટલે કેશાએ પણ પિતાના આંગણામાં સરસવને ઢગલે કરાવી, તેને ઉપર સંય મૂકી, તેના ઉપર એક પુ૫ મૂકીને તેના ઉપર નૃત્ય કર્યું. તે જોઈ રથકાર ચમકાર પામીને બે ફે“આ અતિ કઠિન કામ છે.” ત્યારે કોશાએ કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy