________________
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર |
જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારી હે માતા સરસ્વતી ! કેવળજ્ઞાનરૂપી મહાસાગરમાં પ્રગટ થતી લહેરોની જેવી મધુર વાણી દ્વારા સાંસારિક જીવોના કર્મરૂપી અંધકારને દૂર કરનારા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર અંકિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ !
IIIIભવ પહેલો II]
ઘાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં ઉજ્જવળ યશગાથા ધરાવતા રાજા નંદીષેણ થઈ ગયા. પ્રજાના દુઃખમાં સદાય સહાય કરનારા રાજા હોય ત્યારે પ્રજાને શી વાતની ખામી હોય? ક્ષેમપુરી નગરમાં આથી જ રિદ્ધિસિદ્ધિનો પાર ન હતો. આ રીતે રાજકારભારમાં પોતાનો સમય પસાર થતાં ઘણી વખત રાજા નંદીષેણ સંસારના ક્ષણભંગુર સુખ વિષે ચિંતન કરતા પરિણામે તેનું મન સંસારથી અલિપ્ત થવા ઇચ્છતું હતું.
કાળાંતરે નંદીષેણ રાજાએ અરિદમન નામના આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સાધુજીવનના આચારોનું ઉત્તમ પ્રકારે પાલન કરતા વશ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોની આરાધના વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અનશન કરી નંદિષેણ મુનિએ આયુષ્ય પૂર્ણ કર્યું.
| ભવ બીજો
પૂર્વ ભવના પુણ્ય કર્મે જીવની સ્થિતિ ક્યાં હશે એ તો નિશ્ચિત ન હોય પરંતુ કોઈ ઉત્તમ કુળમાં જ તેનો જન્મ નિશ્ચિત હોય છે. પ્રથમ ભવમાં નંદિષેણ મુનિએ બાંધેલા તીર્થંકર નામકર્મના પરિણામે નંદિષેણ મુનિ પછીના ભવે છઠ્ઠા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અઠ્ઠાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
|) ભવ ત્રીજો |
જંબૂઢીપના ભરતક્ષેત્રમાં કાશી દેશમાં વારાણસી નામની નગરી હતી. તેમાં પ્રતિષ્ટ નામના ગુણવાન રાજા હતા. શીયળ અને રૂપમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનારી પૃથ્વી નામની રાણીથી પ્રતિષ્ટ રાજાની કીર્તિ વ્યાપેલી હતી.
નંદીષેણ રાજાનો જીવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી પૃથ્વી રાણીની કુક્ષીમાં ભાદરવા વદ આઠમના દિવસે છે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયો. મહાપુરૂષના જન્મ સૂચવનારી આગાહી રૂપ બાબતો છે.
(૬૧).
uuuuuuuuuu Train Education International For Private & Personal Use Only
www.jainelibrary.org