________________
શ્રી પડાપ્રભ સ્વામીનું ચરિત્ર |
હે આત્મ જ્યોતિને સદાય ઉજ્જવળ કરનારી માતા શારદા !
પદ્મ સમાન કાંતિ ધારણ કરનારા, શુભ કાર્યોમાં સદાય મંગલ કરનારા શ્રી પદ્મપ્રભ જિનેશ્વરને વંદન કરવાની સાથે તેમનું ચરિત્ર આલેખવામાં આપની અમીદષ્ટિ પ્રાપ્ત થાઓ
IIII) ભવ પહેલો
||
ઘાતકીખંડ દીપમાં પૂર્વ વિદેહમાં વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. તેમાં ધર્મ અને ઉત્તમ ગુણોરૂપી અલંકારોથી આભૂષિત રાજા અપરાજિત પ્રજાનું રક્ષણ કરતા હતા. ધર્મ અને કર્તવ્યપરાયણતા હોવાથી તે રાજ્ય તરફની ફરજો અને સાંસારિક સુખ અનાસક્ત ભાવે બજાવતો હતો.
એક વખત સંસારના પરિભ્રમણ અંગે ચિંતન કરતા તેને સમજાયું કે આ નાશવંત શરીર જ્યાં સુધી યૌવનવયનું હશે ત્યાં સુધી જ એનું મૂલ્ય છે માટે આત્માની સાધના જ મોક્ષફળ માટે અનિવાર્ય ધર્મ છે. આ રીતે સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં પિહિતાશ્રવ આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી, વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. છેવટે શુભ ધ્યાનપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.
IIIભવ બીજો વિ
S
=
અપરાજિત રાજાનો જીવ બીજા ભવે નવમાં રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં અપાર સુખ અને સમૃદ્ધિ સાથે દિવસો પસાર કરતા એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
I || ભવ ત્રીજો ]
જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશાંબી નગરીમાં ધર નામે રાજા હતો. તેની યશગાથા ચારે બાજુ ફેલાયેલી હતી. તેથી બીજા કોઈ પણ રાજા તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા.
ધર રાજાને સતી જેવી સુસીમા જેવી રાણી હતી. દેવકન્યા જેવું સૌન્દર્ય ધરાવતી સુસીમા રાણીનું રૂપલાવણ્ય અદ્ભુત લાગતું હતું.
અપરાજિત રાજાનો જીવ નવમાં રૈવેયકમાં દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી અવીને સુસીમા રાણીની કુક્ષીમાં મહા વદ છઠના દિવસે પુત્રપણે અવતર્યો. તીર્થંકરના જન્મ પહેલાં જે રીતે માતાને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન થાય છે. એ જ રીતે સુસીમા રાણીએ છે muપા (પ)
પvu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org