________________
પણ તીર્થકરના જન્મને સૂચવનારા ઉત્તમ ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ સમય તેમ દરમિયાન સુસીમા રાણીને પદ્મની શયામાં સુવાનું મન થયું હતું. દેવતાઓએ તેની આ ઈચ્છા પૂર્ણ કરી. નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી પન્ન જેવા વર્ણવાળાં અને પદ્મના લાંછનવાળાં પુત્રને જન્મ આપ્યો. એ દિવસ એટલે કારતક વદ અગિયારસ.
જન્મ કલ્યાણકની ઉજવણી માટે છપ્પન દિકુમારીકાઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્ર વગેરેએ આવીને પ્રભુને મેરુપર્વત પર સ્નાન કરાવી જન્મોત્સવ ઉજવ્યો. દેવ વગેરેએ સ્તુતિ કરી, પ્રભુને લઈ સુસીમાદેવી પાસે આવીને નમસ્કાર કરી પોતાને સ્થાને ગયા.
અનુક્રમે યૌવનવય પામતા અઢીસો ધનુષ્ય ઊંચાઈવાળા પ્રભુજીની શોભા અપાર લાગતી હતી. સંસાર સુખ ભોગવ્યા પછી પ્રભુ ચારિત્ર ગ્રહણ કરવા ઈચ્છતા હતા પરંતુ પિતાની આજ્ઞા મુજબ રાજકારભાર સંભાળવા લાગ્યા. આ રીતે એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ પસાર થયા. - ત્યાર પછી લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ સ્થાપવા માટે દીક્ષા ગ્રહણ કરવા પ્રેરણા કરી. પ્રભુએ સંવત્સરી દાન આપવાનું શરૂ કર્યું. કારતક વદ તેરસે ચિત્રા નક્ષત્ર છઠ્ઠ તપ સાથે સહસ્ત્રાગ્ર વનમાં જઈ એક હજાર રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. ઈન્દ્રો અને દેવતાઓએ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો.
બીજા દિવસે સોમદેવ રાજાને ઘેર પ્રભુએ છઠ્ઠ તપનું પારણું કર્યું. છ માસ સુધી વિહાર કર્યા પછી ફરી પાછા સહસ્ત્રામ્ર વનમાં આવી પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયાં. શુકલ ધ્યાન સાથે ચૈત્ર સુદ પુનમના દિવસે ચંદ્ર જ્યારે ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું. તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ઈન્દ્ર દેવતાઓ વગેરે આવીને સમવસરણ રચે છે અને પ્રભુ સિંહાસન પર સ્થાપિત થાય પછી બીજી ત્રણ દિશામાં પ્રભુને બિબોનું સ્થાપન કરે છે. આ મુજબ શ્રી પદ્મનાથ પ્રભુ માટે સમવસરણની રચના અને બિંબની સ્થાપના થઈ. પ્રભુએ મધુર વાણીમાં દેશના આપી. ત્યાંથી વિહાર કરતાં પ્રભુને ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ચાર લાખ વીસ હજાર સાધ્વી, બે હજાર બસ્સો ચૌદ પૂર્વધારી, દશ હજાર અવધિજ્ઞાની, દસ હજાર ત્રણસો મન:પર્યવજ્ઞાની, બાર હજાર કેવળી, સોળ હજાર એકસો આઠ વૈક્યિ લબ્ધિવાળા, નવ હજાર છસો વાદી લબ્ધિવાળા, બે લાખ છોતેર હજાર શ્રાવક, પાંચ લાખને પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો.
આ વખતે નિલ અંગવાળો અને મૃગના વાહનવાળો, ચાર ભૂજાવાળો કુસુમ નામે યક્ષ અને શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, ચાર ભૂજાવાળી અય્યતા નામે યક્ષણી અનુક્રમે શાસનદેવ અને શાસનદેવી થયા.
આ રીતે વિહાર કરતા પોતાનો મોક્ષ સમય નજીક આવેલો જાણી પદ્મપ્રભ સમેતશિખર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી માગશર વદ અગિયારસના દિવસે ચિત્રા નક્ષત્રે બીજા આઠ અનશનવ્રતધારી મુનિઓ સાથે મોક્ષપદ પામ્યા.
આ રીતે પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખને સોળ પૂર્વાગ કૌમાર વયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં - એમ મળી ત્રીશ લાખ પૂર્વ આયુષ્ય ભોગવ્યું. સુમતિનાથ ભગવાન પછી કુલ નેવું હજાર કોટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભનો મોક્ષ થયો. એ સમયે ઈન્દ્ર તથા દેવતાઓ મળી પ્રભુના દેહનો વિધિપૂર્વક સંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
પરમ જ્યોતિનાં પ્રકાશથી પૂર્ણ એવા શ્રી પદ્મપ્રભુસ્વામીનું ચરિત્ર આલેખન અહીં પૂર્ણ કરૂં છું.
(૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org