SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ પ્રભુનું ચરિત્ર હે શ્વેત પદ્માસને બિરાજમાન મા શારદા ! આ અગાધ ઊંડાણવાળા સંસાર સમુદ્રને પાર કરાવનાર સેતુ સમાન, પરમ ઉપકારી અને પરમ પ્રભાવક એવા ઉત્કૃષ્ટ શાસનમાં શોભારૂપ શ્રી સુમતિનાથ પ્રભુની પ્રેરક જીવનયાત્રાને શબ્દોમાં ગઠિત કરવા માટે યોગ્ય શબ્દોનું સામર્થ્ય આ કલમમાં પ્રગટો અને શ્રી પરમાત્માની વાણીને લોક સમુદાય સુધી પ્રવાહિત કરવાની શક્તિ પ્રગટો ! ભવ પહેલો જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુષ્કલાવતી નામના વિજયમાં શંખપુકર નામની નગરીમાં વિજ્યાસેન નામનો રાજા હતો. આ રાજાને અતિ સ્વરૂપવાન રાણી હતી. તેનું જેવું સ્વરૂપ હતું, એવું જ નામ હતું - સુદર્શના. પરંતુ એ રાજાને એક વાતનું અત્યંત દુઃખ હતું. એવું માનવામાં આવે છે કે જ્યાં ધનસંપત્તિની ખોટ હોતી નથી ત્યાં ઘણી વખત શેર માટીની ખોટ હોય છે. સુદર્શના રાણીને પણ કાંઈ સંતાન ન હતું. તે રાજ્યમાં નંદિષેણ નામના શેઠ હતા. તેને ગુણવાન અને બુદ્ધિમાન સંતાનો હતા. આ સંતાનો જોઈને સુદર્શના રાણીને ઘણી વખત ઈર્ષા થતી. પોતાનું સ્ત્રી તરીકેનું કર્તવ્ય માતૃત્વ વગર અધૂરું રહે એ વાત તેને સતાવ્યા કરતી. તેની ઝંખના તેના દુઃખનું કારણ બની ગઈ. આ વાત રાજા વિજ્યાસેનથી અજાણ ન હતી. આથી રાણીએ જ્યારે રાજાને પોતાના મનની વાત કરી, ત્યારે રાજા પણ દુઃખ અનુભવવા લાગ્યો. રાણીના મનની ઈચ્છા પૂર્ણ ક૨વા રાજાએ છેવટે ધર્મનો આશરો લીધો. તેણે જ્યોતિષોને બોલાવ્યા અને તે અનુસા૨ કુળદેવીની સાધના શરૂ કરી. મનથી કરેલું અને શુભભાવ સાથે કરેલું તપ નિષ્ફળ જતું નથી. એકાગ્ર ચિત્તે કરેલી આરાધના તેનું પરિણામ આપ્યા વગર રહેતી નથી. રાજાએ કરેલી આરાધનાના પરિણામે કુળદેવી પ્રસન્ન થયા. દેવીએ વરદાન માગવા માટે જણાવ્યું ત્યારે રાજાએ પોતાના મનની ઈચ્છા અનુસાર પુત્રની માગણી કરી. દેવીએ તેને વરદાન આપ્યું કે અત્યારે એક ઉત્તમ જીવ દેવલોકમાં છે તેનું વન થઈ તે તારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે. આ વાત કરી કુળદેવી અંતર્ધ્યાન થઈ ગયા. વ૨દાન સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે રાણીને વાત કરી. બન્ને હર્ષાવેશમાં આવી ગયા. અનુક્રમે રાણી સુદર્શનાને કુળદેવીના વરદાન પ્રમાણે ગર્ભ રહ્લ. ઉત્તમ સરિતાના જળમાં જેમ સુવર્ણ કમળો ખીલી ઊઠે તેમ સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. દિવસે દિવસે ૨ાણી વધુ ને વધુ ધર્મપ્રિય બનતી ગઈ. દાન, દયા અને ધર્મનો ત્રિવેણી સંગમથી રાણીએ જુદા જુદા ચૈત્યોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને પુણ્યકર્મ ઉપાર્જન કર્યું. સમય આવ્યે જેમ વેલ પર ફળ પ્રાપ્ત થાય, એ રીતે સુદર્શના રાણીને પુત્રરત્ન પ્રાપ્ત થયું. સુદર્શના રાણીને આવેલાં સ્વપ્નને અનુસરીને પુત્રનું નામ પુરુષસિંહ પાડવામાં આવ્યું. પુરુષસિંહ યુવાનવયે પહોંચ્યો ત્યારે તેમનું તેજ અને લાવણ્ય કામદેવને પણ શ૨માવે એવા થયા. તેને જોઈને કોઈ પણ કન્યા મોહિત થઈ જતી. પિતાએ તેના લગ્ન આઠ રાણીઓ સાથે કરાવ્યા. આ રાણીઓ સાથે પુરુષસિંહ કામક્રીડા કરવા લાગ્યો. Jain Education International 1.n(૫૬)---... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy