SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ” એક દિવસ ઉદ્યાનમાં જતી વખતે તેણે ત્યાં વિનયનંદન નામના સૂરિને સમવસરેલા જોયા. તેમની દેશના સાંભળતાં જ તેની સંસાર પ્રત્યેની મોહમાયા દૂર થઈ. તરત જ તેને વિચાર થયો કે અગ્નિ પાસે રહીને દાક્યા વગર રહી શકાતું નથી. જેમ દરિયા કિનારે બેસીને પાણીની છાંટ લાગ્યા વગર રહેતી નથી. એ રીતે સંસારમાં રહીને સંસારસુખથી અલિપ્ત રહી શકાતું નથી. માટે જ્ઞાની પુરુષો સંસારને છોડીને સંયમની સાધના કરે છે. ઘેર આવ્યા પછી પુરુષસિંહે પિતાને આ સંબંધી વાત કરી અને દીક્ષા લેવા માટે સંમતિ માગી. પિતાએ ઘણું સમજાવ્યો પરંતુ તેનું મન હવે સંસારથી અલિપ્ત થઈ ગયું હતું. તેમણે વિનયનંદન સૂરિ પાસે દીક્ષા લીધી. ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય પાળતા તેમજ સંયમ જીવનની સાધનામાં દિવસો પસાર થવા લાગ્યા. આ પછી વીસ સ્થાનકના આરાધન દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળાંતરે આયુષ્ય પૂર્ણ કરી દેવપણે ઉત્પન્ન થયા. [I || ભવ બીજો || પૂર્વ ભવના પૂણ્યકર્મ પુરુષસિંહનો જીવ ગ્રેવિયકમાં વૈયંત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અહીં પણ દેવલોકના સુખવૈભવમાં જીવન પૂર્ણ કર્યું. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. I||]ભવ ત્રીજો પૈ||||| જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલી વિનીતા નામે નગરીમાં મેઘ નામે રાજા હતો. આ આખી નગરીમાં આવેલી ઈમારતો રૂપાના કાંગરાથી શોભી રહી હતી. મહેલોની દિવાલો પર જડેલા રત્નોમાં પડતા પ્રતિબિંબોથી મહેલની શોભા અનેકગણી વધી ગઈ હતી. એ રાજાને મંગળા નામે શીલવતી અને ગુણવાન રાણી હતી. પુરુષસિંહનો જીવ દેવલોકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી શ્રાવણ સુદ બીજના દિવસે મંગળાદેવીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. તે વખતે મંગળાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવતા ચૌદ મહાસ્વપ્નો જોયા. એ દરમિયાન એક ધનાઢ્ય વેપારી પોતાની બે સરખી ઉંમરની સ્ત્રીઓને લઈ પરદેશ વેપાર કરવા ગયો હતો. ત્યાં એક સ્ત્રીને પુત્ર થયો. બંને સ્ત્રીઓએ તેને ઉછેરીને મોટો કર્યો. પરંતુ પાછા ફરતી વખતે તે વ્યાપારીનું અવસાન થયું. ત્યાર પછી બેમાંથી જે સ્ત્રી કપટી હતી તે કહેવા લાગી કે આ પુત્ર અને ધન મારા છે. તેમની ફરિયાદ રાજદ્વારે મેઘરાજા પાસે ગઈ, પણ તેનો ઈન્સાફ છ મહિના સુધી કોઈથી થઈ શક્યો નહિ. મંગળારાણીએ રાજાના મુખથી તે વાત જાણી તે બે સ્ત્રીઓને બોલાવી કહ્યું કે હે સ્ત્રીઓ મારા ગર્ભને વિષે ત્રણ જ્ઞાનને ધરનાર પુત્ર છે, તેનો જન્મ થશે ત્યારે તમને ઈન્સાફ આપશે, તે સાંભળી અપરમાતા મૌન રહી, પણ ખરી માતા બોલી ઊઠી કે હે દેવી તેટલા વખત સુધી મારાથી શી રીતે રહી શકાય ! માટે આપ ઈન્સાફ આપો પછી મંગળારાણી કહે કે સ્ત્રી તારાથી કાળક્ષેપ સહન થતો નથી માટે તું જ ખરી માતા છે. એમ કહી તેને પુત્ર સોંપી બંને જણીઓને વિદાય કરી. સૌ સભા વિસ્મય પામી વખાણ કરવા લાગી. મંગળારાણીના બુદ્ધિચાતુર્ય ઉપર રાજા પણ પ્રસન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી મંગળાદેવીએ વૈશાખ સુદ આઠમે ચંદ્ર જ્યારે મઘા નક્ષત્રમાં હતો ત્યારે કચ પક્ષીના લાંછનવાળા કાંચન | » વર્ણના પુત્રને જન્મ આપ્યો. તે ગર્ભમાં હતા ત્યારે મંગળાદેવીએ બુદ્ધિચાતુર્યમાં ખૂબ જ વિકાસ સાધ્યો હતો. must (૫) પ uuuuuuuuuuuu S In L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy