SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવાહનનો જીવ આવા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો પરંતુ પૂર્વ કર્મના પુણ્યોદયે તે મોહભાવથી છે રહેવાને બદલે નિર્લેપભાવે રહ્યાં. છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેમના તેજમાં વૃદ્ધિ થઈ અને તેત્રીસ || સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. III) ભવ ત્રીજો |િ| ભરતક્ષેત્રની વિનીતા નગરી એટલે જાણે કે આ જંબુદ્વીપની ભૂમિ પર શાશ્વત શિરોમણી. તેમાં શ્રી ઋ ષભદેવ પરમાત્માના મોક્ષ પછી ઈશ્વાકુવંશના અસંખ્ય રાજાઓએ શુભ કર્મો વડે સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું હતું. આ પુનિત સ્થળે કાળાંતરે ઈશ્વાકુવંશમાં જિતશત્રુ નામે રાજા થયા. ધર્મ, કર્તવ્ય અને શાસનમાં પ્રભાવશાળી એવા ગુણોવાળા જિતશત્રુ રાજાને સુમિત્રવિજય નામે ભાઈ હતો પૃથ્વી પર જાણે દેવી ઊતરી આવી હોય એવી જિતશત્રુની રાણી વિજ્યાદેવી હતી. તેમની કુક્ષીએ વૈશાખ સુદ ત્રીજના દિવસે જ્યારે ચંદ્રનો યોગ રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે વિમલવાહન રાજાનો જીવ વિજય નામે દેવલોકમાંથી આવીને ત્રીજા ભવે ત્રણેય જ્ઞાનના જ્ઞાતા (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન) એવા પુત્રરત્ન તરીકે ઉત્પન્ન થયો. આ ક્ષેત્રે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. જ્યારે પણ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે તેમની માતા ઉત્તમ એવા ચૌદ વખો જુએ છે. વિજ્યાદેવીએ પણ રાત્રિના ચોથા પર્વે હાથી, વૃષભ, કેસરીસિંહ, લક્ષ્મીદેવી, પુષ્પોની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, દેવવિમાન, રત્નપુંજ અને નિર્ધમ અગ્નિ એવાં અનુક્રમે ચૌદ સ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. આ સમયે અવધિજ્ઞાન વડે ઈન્દ્રએ જોયું ત્યારે શ્રી અજિતનાથ પ્રભુનું ચ્યવન થયેલું જાણી તેમની વિધિ અનુસાર સિંહાસન પરથી ઊભા થયા. તીર્થંકર પરમાત્માના દરેક કલ્યાણકો ઉજવવા માટે વિધિપૂર્વક ક્લિાઓ ઈન્દ્રો દ્વારા થાય છે. સૌધર્મેન્દ્ર પણ સાત આઠ પગલાં આગળ ચાલ્યા અને ઉતર સન્મુખ, જમણો ઢીંચણ ભૂમિ પર આરોપી, પૃથ્વીતળનો સ્પર્શ કરી શસ્તવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિનિતા નગરીમાં જિતશત્રુ રાજાને ત્યાં આવ્યા. બીજા ઈન્દ્રો પણ આસન કંપવાથી ખબર પડતા તરત જ ત્યાં આવી પહોંચ્યા. બધા ઈન્દોએ ભાવપૂર્વક માતાને પ્રણામ કર્યા. આખી વિનીતા નગરીને શોભારૂપ બનાવવા માટે જ જાણે તેઓ આવ્યા હોય એમ રાજભવન અને માતાનો કક્ષ મણિ, માણેક અને રત્નજડિત સ્તંભોથી શોભી રહ્યો હતો. તેઓએ માતાને ચૌદ સ્વપ્નોનું ફળ સમજાવ્યું અને નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સન્મુખ, ભાવપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. સંજોગોવશાત તે જ રાત્રીએ જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજયની રાણી યશોમતિએ પણ ચૌદ સ્વપ્નો જોયાં. રાત્રીના સમયે ઉત્તમ સ્વપ્ન જોયા પછી બાકીની રાત્રી જાગૃતપણે પસાર કરવી યોગ્ય મનાય છે. અહીં પણ યશોમતી રાણીએ અને વિજ્યાદેવીએ રાત્રી પસાર કરી. સવાર થતાં જ બન્નેએ પોતપોતાના પતિઓને સ્વપ્નોનું વૃત્તાંત કહી સંભળાવ્યું. જિતશત્રુ રાજાએ પોતાની રીતે તેનું ફળ કહ્યું અને જણાવ્યું કે ઉત્તમ પુત્રનો જન્મ થશે. એ જ રીતે સુમિત્રવિજય રાજાએ પણ ઉત્તમ ફળનું પરિણામ કહ્યું. સ્વપ્ન પાઠકોને બોલાવવામાં આવ્યા. એ પછીનું સુપન પાઠકોએ કહ્યું, “હે રાજા! શાસ્ત્રોમાં બહોંતેર સ્વપ્નો કહ્યાં છે. તેમાં ઉત્તમ ત્રીસ સ્વપ્નો છે તેમાંના ચૌદ સ્વપ્નો એવાં છે કે જ્યારે કોઈ તીર્થંકર કે ચક્વર્તીનો જન્મ થવાનો હોય એ પહેલા તેમની માતા જુએ છે. આ તે (૪૨) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy