________________
V) નથી. તેઓ મનમાં શું વિચારે છે એની પણ આપણને જાણ નથી. હવે આપણી આજીવિકા માટે પાછા રાજ્ય છે.
ગ્રહણ કરવા જવું કે કેમ? રાજ્ય તો ભરત મહારાજાએ ગ્રહણ કર્યું છે, તો આપણે તેની પાસે જવું જોઈએ. તેઓ સ્વેચ્છાથી કંદમૂળ, ફળો વગેરેનો આહાર કરવા લાગ્યા. સર્વ મુનિવરો ગંગાના કિનારે આવેલા જંગલોમાં ગયા. ત્યાં “તાપસ” તરીકે ઓળખાયા.
આ સાધુઓ એટલે કચ્છ-મહાકચ્છ રાજાઓ હતા. તેમના પુત્રો નમિ અને વિનમિ પહેલા ઋષભદેવ રાજા હતા ત્યારે તેમના આદેશથી દૂર દેશાવર ગયા હતા. અત્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે તેઓએ તેમના પિતાને જંગલમાં તાપસ તરીકે જોયા. તેમને થયું કે ઋષભનાથ જેવા રાજા હતા, છતાં તેમના પિતાની આવી દશા કેમ થઈ? આવો વિચાર કરી, તેઓએ તેમના પિતાને પ્રણામ કર્યા. અને આ દશાનું કારણ પૂછ્યું. કચ્છ-મહાકચ્છ કહ્યું કે:
8 ષભદેવ મહારાજાએ પોતાનું રાજ્ય ભરત વગેરે વચ્ચે વહેંચી આપ્યું. દીક્ષા અંગીકાર કરી એટલે અમે પણ તેમનો વિરહ સહન કરી ન શકવાથી દીક્ષા લીધી. પરંતુ ભૂખ, તરસ વગેરે પીડા સહન ન થવાથી અમે દીક્ષાવ્રત છોડી દીધું છે અને આ રીતે તપોવનમાં તાપસ તરીકે રહીએ છીએ. આ વાત સાંભળ્યા પછી નમિ અને વિનમિ પ્રભુ પાસે આવી પહોંચ્યા. કાઉસગ્ગ ધ્યાને સ્થિર એવા પ્રભુને તેમણે કહ્યું કે આપે અમારી ગેરહાજરીમાં સામ્રાજ્ય ભરત વગેરે ભાઈઓને વહેંચી આપ્યું, અમારો શો ગુનો ?”
આમ છતા પ્રભુ નિરુત્તર રહ્યા. ત્રિકાળ અંજલિ આપી તેમની પાસે રાજ્યની માગણી કરી. એ વખતે નાગકુમાર ધરણેન્દ્ર પ્રભુ પાસે વંદન કરવા આવ્યા. તેમણે આ આખી પરિસ્થિતિ વિષે જાણકારી મેળવી. ભરત પાસે રાજ્યની માગણી કરવા માટે તેઓને કહ્યું. પરંતુ નમિ-વિનમિએ કહ્યું કે અમે એક રાજાને કે એક સ્વામીને સ્વીકાર્યા પછી અન્યને રાજા કે સ્વામી તરીકે ન સ્થાન આપીએ.
આ સાંભળી ધરણેન્દ્ર ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને પોતાની પાસે રહેલી જુદી જુદી અનેક વિદ્યાઓ આપી અને કહ્યું કે તમે અહીંથી વૈતાઢ્ય પર્વત પર જાઓ અને તેની ઉત્તરે અને દક્ષિણે એક એક નગરી વસાવી ત્યાં રાજ્ય સ્થાપો.
આ વિદ્યાથી પુષ્પક નામનું વિમાન રચાવી, પ્રભુને નમન કરી, પોતાના પિતાને પણ પ્રણામ કરી, ભરત મહારાજા પાસે ગયા. તેમની પાસે જઈ પોતાને મળેલી વિદ્યાના વખાણ કરવા લાગ્યા. ત્યાંથી નમિ અને વિનમિએ વૈતાઢ્ય પર સુંદર નગર વસાવ્યા. મૂલ્યવાન એવા આભૂષણોથી તે સુશોભિત કર્યા. જુદી જુદી વિદ્યાનો ઉપયોગ કરી રાજ્યનાં સપ્રમાણ ભાગ પાડ્યાં.
એક વર્ષ સુધી ભગવાન ઋષભદેવ આહાર-પાણી વગર વિચરતા હતા. તેમણે વિચાર્યું કે તે પોતે તો આ રીતે ચલાવશે પરંતુ સાથેના સાધુઓ આ ભૂખ-તરસ સહન નહીં કરી શકે. આવું વિચારી ગજપુર નગરમાં આવી રહ્યાં.
આ નગરમાં બાહુબલીના પુત્રના પુત્ર શ્રેયાંસકુમાર હતા. તેમને સ્વપ્નમાં જોયું કે તેમણે પોતે મેરૂપર્વતને દૂધ વગેરેથી અભિષેક કર્યો છે.
એ દરમિયાન સુબુદ્ધિ નામના શેઠે પણ એક સ્વપ્ન જોયું તેમાં તેણે શ્રેયાંસકુમારે મેળવેલા વિજય વિષે જોયું.
આ રીતે ત્રણેયે પોતાના સ્વપ્નને પરસ્પર કહ્યાં પરંતુ નિર્ણય વગર જ છૂટાં પડયા. બીજે દિવસે લોકોએ ઋષભદેવને પારણા માટે અનેક ચીજોનો આગ્રહ કર્યો પરંતુ ભગવાન મૌન રહ્યાં.
ભગવાનના આગમનના સમાચારથી સૌ નગરજનો તેમના સત્કાર માટે ખૂબ જ તૈયારી કરી. શ્રેયાંસકુમાર
D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org