________________
ઋ ષભદેવને દિવ્ય અલંકારો અને વસ્ત્રોથી આભૂષિત કર્યા. ચંદનના વિલેપનથી સુશોભિત પ્રભુ શુભધ્યાનથી યુક્ત જણાતા હતા. ઈન્દ્રએ સુદર્શના નામની શિબિકા રચી જાણે દેવવિમાન હોય એવું લાગતું હતું. પ્રભુ શિબિકામાં આરૂઢ થયા. પોતાને ભાગ્યશાળી સમજીને પહેલા મનુષ્યોએ અને ભક્તિવંત દેવોએ શિબિકા ઉપાડી. બન્ને બાજુ ચામ૨ધા૨ીઓ ગોઠવાઈ ગયા હતા. વ્યંતરદેવો પદાની ધરી પૂજા કરતા હતા. જયનાદ બોલાવતા લોકો આ મહોત્સવને ભાવપૂર્વક નિહાળતા હતા. વિનીતા નગરીમાંથી પસાર થતા પ્રભુને જોવા લોકો જ્યાં જગા મળે ત્યાં ગોઠવાઈ ગયા. સ્ત્રીઓ પણ પોતાના રાજાને વધાવવા લાગી. દેવતાઓ આકાશમાર્ગે આવી રહ્યાં હતા. જાણે આકાશમાં કોઈ બીજી વિનીતાનગરી રચાઈ હોય એવું દૃશ્ય ઊભું થયું. બ્રાહ્મી, સુંદરી અને બીજી સખીઓ, માતા મરુદેવા, અન્ય સ્ત્રીઓ નાભિકુમારની પાછળ પાછળ ચાલતી હતી. ઉજ્જવલ અને શીતળ હાજરી તથા દિશા જોઈ, પોતાના તમામ કામ મૂકી સૌ દિક્ષાસ્થળે આવ્યા.
આ રીતે સમગ્ર વાતાવરણ અનોખું બની ગયું. સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં શિબિકા આવી પહોંચી. અશોકવૃક્ષની નીચે નાભિકુમારે સંસાર સમુદ્રમાંથી પાર ઉતરવા માટે વસ્ત્રો તથા આભુષણોનો ત્યાગ કર્યો. તે સમયે ઈન્દ્ર પાસે આવી ઉજ્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર તેમના ખભા પર આરોપિત કર્યુ.
ચૈત્ર વદિ આઠમના રોજ ચંદ્ર જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો ત્યારે ઋ ષભદેવે તેના સુંદર કેશકલાપનો લોચ ચાર મુષ્ટિ દ્વારા સૌની હાજરીમાં કર્યો. તેમના કેશ જમીન પર પડવા યોગ્ય નથી એમ વિચારી ઈન્દ્રે તેને પોતાના વસ્ત્રોમાં ગ્રહણ કર્યા. બાકીના કેશનો લોચ પાંચમી મુષ્ટિથી પ્રભુ કરવા જતા હતા ત્યારે ઈન્દ્રે પ્રાર્થના કરી કે એ એમ જ રહેવા દો કારણ કે પવનથી જ્યારે તે ખભા ઉપર આવે છે ત્યારે મણિની જેમ શોભે છે. પ્રભુએ આ આજ્ઞાનો સ્વીકાર કર્યો. ઈન્દ્રે કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવી દીધા.
આ પછી નાભિકુમાર ઋ ષભદેવે દેવો, અસુરો અને મનુષ્યોની હાજરીમાં કહ્યું, ‘‘હું સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું.” એટલે કે તેમણે પાપ વ્યાપારોને સહુની હાજરીમાં ત્યાગ કરવાનો નિયમ ધાર્યો.
પ્રભુના દિક્ષા ઉત્સવથી ના૨કીના જીવોએ પણ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. તરત જ તેમને મનઃ૫ર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેમનો વિરહ સહન ન કરી શકવાથી તેમની સાથે ચાર હજાર રાજાઓએ પણ પ્રભુ પાસે દીક્ષાની માગણી કરી અને પ્રભુએ દીક્ષા આપી.
ઈન્દ્રો પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે એ રીતે આપે પણ કામદેવરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે એટલે અમે આપને નમસ્કાર કરીએ છીએ.
પ્રભુની સ્તુતિ કરી દેવો વગેરે નંદીશ્વરદ્વીપે ગયા, અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને પોતાના સ્થાને પાછા ગયા. ભરત, બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી, અત્યંત દુઃખી હૃદયે પોતાના સ્થાને પાછા ગયા. તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી તે ચાર હજાર સાધુઓ સહિત પ્રભુએ વિહાર કરવા નક્કી કર્યું.
બીજા દિવસે પા૨ણું કરવાનું હતું, પરંતુ ત્યારે ભિક્ષાદાન વિષે લોકો જાણતા ન હતા. તેઓએ તો પહેલાની જેમ જ તેમને રાજા માનીને ઉત્તમ એવા હાથી, ઘોડા, કન્યાઓ, વસ્ત્રો, અલંકારો જેવી ચીજો વહોરાવવા આગ્રહ કર્યો. અજ્ઞાની જીવો પોતાની બુદ્ધિ અનુસાર ઉત્તમ રીતે વર્તે એ રીતે સૌએ ખૂબ જ પ્રેમથી આ સામગ્રીઓ સ્વીકારવાની પ્રભુને વિનંતી કરી. પ્રભુએ મૌનવ્રત ધારણ કર્યું અને સાધુ સમુદાય સાથે
વિચરવા લાગ્યા.
ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલા સર્વ મુનિઓએ વિચાર્યું કે આપણે આપણા રાજાને અનુસર્યા, પણ તે આપણી ત૨ફ કોઈ જાતનું લક્ષ આપતા નથી. ભૂખ, તરસ, તાપ આદિ કાંઈ ગણતા નથી, ઊંઘ પણ લેતા
Jain Education International
---(૩૨)====
For Private & Personal Use Only
www.jainelibrary.org