SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કરી. બળવાન હોય તેને સેનાપતિપદ આપ્યું. તે સમયે પશુઓમાં ગાય, બળદ વગેરેની જાણકારી લોકોને હતી. કંદમૂળ અને ફળફળાદિ લોકોનો મુખ્ય ખોરાક હતો. કેટલાક ધાન્ય હવે આપોઆપ ઊગતાં હતાં પણ લોકોને તેનો ખોરાક રાંધતા આવડતો નહિ. કલ્પવૃક્ષો હવે ઈચ્છિત ફળ આપતા ન હતા. લોકો કાચા ધાન્ય ખાતા એટલે તેઓને પાચન થતું નહીં આથી તેઓને પ્રભુએ તેમને ફોતરા ઊખાડી, પાણીમાં પલાળી અને છેવટે મુઠ્ઠીમાં મસળી ખાવાની સલાહ આપી. આ બાબત દર્શાવે છે કે પૃથ્વી ૫૨ માનવજીવનની પદ્ધતિસરની શરૂઆત કરનાર રાજા ઋ ષભદેવ હતા. અચાનક વૃક્ષની બે શાખાઓ ઘસાતા અગ્નિ ઉત્પન્ન થયો. લાકડાં બળવા લાગ્યા એટલે લોકો પ્રભુ ષભદેવ પાસે આવ્યા અને જ્યારે પ્રભુએ તેમાં ઔષધિઓ નાખવાનું કહ્યું, ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે અગ્નિ પોતે જ તેનું ભક્ષણ કરી જાય છે. એ વખતે લોકોને આહાર-વિહાર કે જીવન જીવવાની પદ્ધતિનો ખ્યાલ ન હતો. લોકોએ ફરી પ્રભુને અગ્નિ વિષે ફરિયાદ કરી. પ્રભુએ માટી મગાવી અને માટીના પિંડને હાથીના કુંભ ૫૨ મૂકી વાસણ બનાવ્યું. આ રીતે સૌ પ્રથમ માટીના વાસણની શરૂઆત થઈ. આ વાસણને અગ્નિ પર મૂકી તેમાં ઔષધિ વગે૨ે પકાવવાનો ખ્યાલ પ્રભુએ સૌ પ્રથમ વખત લોકોને આપ્યો. જે લોકો આ રીતે માટીનાં પાત્રો તૈયાર કરવા લાગ્યા તે કુંભકાર (કુંભાર) તરીકે ઓળખાયા. આ પછી મકાન બાંધનારને વાર્ષકી તરીકે, વસ્ત્ર બનાવનારને વણકર તરીકે, ચિત્ર કરનારને ચિત્રકાર તરીકે એ રીતે ધીમે ધીમે લોકોને જુદી જુદી કળાઓ શીખવીને જીવન વ્યવહાર શીખવ્યો. નખ અને વાળની વૃદ્ધિ ન થાય તે માટેનું કામ ક૨ના૨ વાળંદ થયો. આ રીતે સૌપ્રથમ કુંભકા૨, ચિત્રકાર, વાર્ષિક, વણકર અને વાળંદ - એમ પાંચ શિલ્પીઓ કહેવાયા. આ રીતે ઋ ષભદેવે રાજા તરીકે લોકોને આજિવિકા માટે, કાયદા માટે, જીવનની નીતિ-રીતિ માટે અલગ અલગ બાબતોનું શિક્ષણ આપ્યું. સામ, દામ, દંડ અને ભેદ એવી ચાર દંડનીતિઓ દાખલ કરી. પોતાના મોટા પુત્ર ભરતને જુદી જુદી બોંતેર કલાઓ શીખવી જેમાં લેખ, ગણિત, નાટ્ય, ગજલક્ષણ, અન્નવિધિ, ચર્મલક્ષણ જેવી કલાઓનો સમાવેશ થતો હતો. ભરતે તેના બીજા ભાઈઓને પણ જુદી જુદી કળાઓ શીખવી. બાહુબલિને હાથી, ઘોડા, સ્ત્રી અને પુરુષ વિષયક વિવિધ કળાઓ, બ્રાહ્મીને અઢાર પ્રકારની લિપિ જમણા હાથથી કરાય એવી, સુંદરીને ડાબા હાથેથી શરૂ થતું ગણિત વગેરે વિદ્યાઓ શીખવી. આ ઉપરાંત રાજ્યમાં વાદી, પ્રતિવાદી, રાજા, અધ્યક્ષ, કુળગોર વગેરેના સ્થાન અને કાર્યો નક્કી કર્યા. તેમના સમયે માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, ઘર, કુટુંબ વગેરેમાં મારાપણાંનો ભાવ જાગૃત થયો. લોકોના કાર્ય વિભાજન અને વ્યવસ્થા મુજબ ઉગ્રકુળ, ભોગકુળ, રાજકુળ અને ક્ષત્રિયકુળ એમ ચાર ભેદ પ્રમાણે રાજ્યને વ્યવસ્થિત કર્યું. શિક્ષા કરવા લાયક લોકોને શિક્ષા કરી. આ રીતે પોતે સ્થાપેલો રાજ્યકારભાર આદર્શ બની રહે અને ભાવિ પ્રજા પ્રમાણેનો વ્યવહા૨ધર્મ જાણી શકે એવી રીતે ઋ ષભદેવ પ્રભુએ રાજાનો ધર્મ બજાવ્યો. પોતાને મળેલી લક્ષ્મીનો યથાયોગ્ય ઉપયોગ કરી લોકોને લક્ષ્મીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું. રાજ્યની પ્રજા પણ તેમની આજ્ઞા અનુસાર નીતિપૂર્વક, વ્યવસ્થિત અને પ્રમાણિક જીવન જીવતાં થયાં. દેવો પણ શ્રી ઋ ષભદેવ પરમાત્માના સુખકારક રાજ્યમાં નિવાસ કરવા ઈચ્છાવાળા થયાં તેથી દેવલોકનું સુખ Jain Education International ૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy